અમદાવાદના યુવાનનું રહસ્યમય મોત: પરિવારે જાણ્યા વગર પોલીસે કર્યા અંતિમ સંસ્કાર, દીકરી પપ્પાનું છેલ્લું મોઢું પણ ન જોઈ શકી.
અમદાવાદના યુવાનનું રહસ્યમય મોત: પરિવારે જાણ્યા વગર પોલીસે કર્યા અંતિમ સંસ્કાર, દીકરી પપ્પાનું છેલ્લું મોઢું પણ ન જોઈ શકી.
Published on: 08th September, 2025

અમદાવાદમાં ચિરાગ વાળાનું મોત રહસ્યમય બન્યું છે. 23 જૂન 2025ના રોજ તે ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા. પોલીસે પરિવારને જાણ કર્યા વિના અગ્નિસંસ્કાર કરી દીધા. પોલીસે લાશને બિનવારસી ગણીને અંતિમવિધિ કરી નાખી. પરિવારે વેજલપુર અને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી. લાશ મળ્યાના 25 દિવસ પછી પરિવારને જાણ કરવામાં આવી. આ ઘટનામાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. પોલીસે તપાસમાં ઢીલ કરી અને પરિવારને સત્ય જણાવવામાં વિલંબ કર્યો. ચિરાગની રિક્ષામાંથી ટાયર અને બેટરી પણ ગાયબ હતાં. FSL રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.