ભાદરવી અમાસના નિષ્કલંક મહાદેવ મેળા માટે ST દ્વારા ૫૫ વધારાની બસો દોડાવાશે
ભાદરવી અમાસના નિષ્કલંક મહાદેવ મેળા માટે ST દ્વારા ૫૫ વધારાની બસો દોડાવાશે
Published on: 09th September, 2026

ભાવનગરના કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવ ખાતે યોજાનાર ભાદરવી અમાસના પરંપરાગત મેળા માટે ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા ૫૫ વધારાની બસો દોડાવાશે. આગામી ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજાનાર આ મેળામાં ભાવિકો-શ્રદ્ધાળુઓને લાવવા-લઈ જવા માટે વિશેષ ભાડા સાથે બસ સેવા આગલી રાત્રિથી શરૂ થશે. મેળામાં આવતા લાખો યાત્રાળુઓની સુવિધા માટે ભાવનગર એસ.ટી. ડેપો, ઘોઘાજકાતનાકા, આડી સડક અને હોઈદડ ખાતે પીકઅપ પોઈન્ટ ઉભા કરાશે. સમગ્ર સંચાલનનું મોનિટરીંગ વિભાગીય નિયામક, ડીટીઓના માર્ગદર્શન હેઠળ થશે.