24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ: ગાયત્રી પરિવારે 40 દિવસીય સવા લાખ મંત્ર જાપ કરી 15 મહિલાને ગર્ભ સંસ્કાર આપ્યા.
24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ: ગાયત્રી પરિવારે 40 દિવસીય સવા લાખ મંત્ર જાપ કરી 15 મહિલાને ગર્ભ સંસ્કાર આપ્યા.
Published on: 19th March, 2026

ગાયત્રી પરિવાર દ્વારા 15 માર્ચે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થયું. વસંત પંચમીથી હોળી સુધી 40 દિવસના અનુષ્ઠાનમાં અનેક ભક્તો જોડાયા. પૂર્ણાહુતિના ભાગરૂપે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞથી સામૂહિક પૂર્ણાહુતિ થઈ. પ્રજ્ઞા પુત્રી મીનાક્ષીબેન કાબરિયાએ યજ્ઞનું સંચાલન કર્યું, 500થી વધુ લોકોએ લાભ લીધો અને 15 બહેનોએ ગર્ભ સંસ્કાર કરાવ્યા. ડો.નિરજભાઈએ યુવાનોને માર્ગદર્શન આપ્યું. અનિલ રાવલ અને સુભાનપુરા ટીમે આયોજન કર્યું.