ગઢડાના ચિત્રકાર દયાળજીભાઈ: અક્ષરોને ચિત્રમાં કંડારવાની અનોખી કળા
ગઢડાના ચિત્રકાર દયાળજીભાઈ: અક્ષરોને ચિત્રમાં કંડારવાની અનોખી કળા
Published on: 08th July, 2026

બોટાદના ગઢડાના 87 વર્ષીય ચિત્રકલા શિક્ષક દયાળજીભાઈ ડાંગસીયા 'કેલિગ્રાફી ડ્રોઈંગ' ટેકનિકથી ચિત્રોમાં અક્ષરો અને કવિતાઓને એવી રીતે વણી લે છે કે તે જીવંત થઈ ઉઠે છે. તેમણે 1964માં DTCનો અભ્યાસ પૂર્ણ કર્યો અને શાળામાં ચિત્ર શિક્ષક તરીકે સેવા આપી. 7 વર્ષની ઉંમરે પીંછી પકડી, 87 વર્ષની ઉંમરે પણ તેમની કલા સાધના ચાલુ છે. નિવૃત્તિ બાદ, તેઓ કોઈપણ ફી લીધા વિના બાળકોને ચિત્રકલા શીખવી પરંપરાગત વારસાનું જ્ઞાન આપી રહ્યા છે.