વલસાડમાં મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું ૧.૨૫ લાખ કયુસેક
વલસાડમાં મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું ૧.૨૫ લાખ કયુસેક
Published on: 08th July, 2026

વલસાડ જિલ્લામાં અવિરત મેઘમહેરને કારણે મધુબન ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. ડેમના ૮ દરવાજા ૪ મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં ૧.૨૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમની સપાટી વધી હતી. જિલ્લાના કપરાડા તાલુકામાં ૮.૪ ઇંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જનજીવન પ્રભાવિત થયું છે અને કોઝ વે પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ પ્રશાસને લોકોને નદી કિનારેથી દૂર રહેવાની અપીલ કરી છે.