અમદાવાદ રથયાત્રા રૂટ પર બે દિવસ 'નો પાર્કિંગ ઝોન'
અમદાવાદ રથયાત્રા રૂટ પર બે દિવસ 'નો પાર્કિંગ ઝોન'
Published on: 08th July, 2026

અમદાવાદ શહેરમાં 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી નગર રથયાત્રાને ધ્યાનમાં રાખીને, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. રથયાત્રાના સમગ્ર રૂટ અને તેની આસપાસના વિસ્તારોને 15 જુલાઈની મધ્યરાત્રિથી 16 જુલાઈ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. જમાલપુર જગન્નાથ મંદિરથી શરૂ થઈ માણેકચોક, દાણાપીઠ, ખમાસા થઈ પરત મંદિર સુધીના તમામ માર્ગો પર વાહન પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે BNS, 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-131 મુજબ કડક કાર્યવાહી થશે.