સુરતમાં જળપ્રલય: 13 મોત, 3416નું રેસ્ક્યૂ, 3862 લોકોનું સ્થળાંતર
સુરતમાં જળપ્રલય: 13 મોત, 3416નું રેસ્ક્યૂ, 3862 લોકોનું સ્થળાંતર
Published on: 08th July, 2026

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં છેલ્લા 38 કલાકમાં 19 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ અતિભારે વરસાદી આફતમાં ડૂબવા અને કરંટ લાગવાથી કુલ 13 લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક તંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. 8 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીમાં 3,416 લોકોને રેસ્ક્યૂ કરાયા છે અને 3,862 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. 9563 ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરાઈ છે.