રામ મંદિર અને સંસદ ભવન પરના આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ ગયું.
દિલ્હી પોલીસે મોસૈબ ઉર્ફ સોનૂ કલામની ધરપકડ કરી છે, જે ગઝવા-એ-હિન્દથી પ્રભાવિત હતો. મોસૈબે દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોની RECCE કરી હતી અને સોશિયલ મીડિયા પર કટ્ટરવાદ ફેલાવતો હતો. આઝમગઢમાં દિલ્હી પોલીસની SPECIAL CELLએ થાણેમાં આ ધરપકડ કરી છે, ત્યારબાદ એજન્સીઓ ALERT થઈ ગઈ છે. આ સંગઠન અયોધ્યાના રામ મંદિર, નવુ સંસદ ભવન અને મુખ્ય સૈન્ય મથકો પર વિસ્ફોટ અથવા આત્મઘાતી હુમલાનું કાવતરુ ઘડી રહ્યું હતું.
રામ મંદિર અને સંસદ ભવન પરના આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ ગયું.
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
PM નરેન્દ્ર મોદીએ આજે (20 એપ્રિલ) નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટૅક્નોલૉજીથી લઈને કે-પોપમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બંને દેશના નેતાઓ વચ્ચે MOU કરાયા છે. આ ઉપરાંત વેપાર, સંસ્કૃતિ અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ભાગીદારી વધારવા પર પણ ભાર અપાયો છે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી અને દ. કોરિયાના પ્રમુખ મ્યુંગે સંબોધન પણ કર્યું હતું.
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરને કોર્ટમાં રજૂ કરાયા, બે દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં ગત શનિવારે (18 એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની કરપીણ હત્યા થઈ હતી. આ મામલે તાત્કાલિક મુખ્ય બે આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ હવે આજે(20 એપ્રિલ) પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો સંવેદનશીલ હોવાથી અને શહેરમાં તણાવભરી સ્થિતિને જોતા કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરને કોર્ટમાં રજૂ કરાયા, બે દિવસના રિમાન્ડ મંજૂર
દેશની સૌથી મોટી ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી, પચપદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. PM નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે, તેના બરાબર એક દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરચક્ર ગતિમાન કરવામાં આવ્યું છે. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
દેશની સૌથી મોટી ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
'મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે', આ અફવાના કારણે લાખો બંગાળના શ્રમિકોની ઘરવાપસી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ને લઈને પરપ્રાંતમાં રહેતા બંગાળી મતદારોમાં ભારે ઉત્સાહ અને સાથે જ એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ચેન્નાઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને કારણે સ્થિતિ પરપ્રાંતિયોના પલાયન જેવી જોવા મળી રહી છે. રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે હોવા છતાં સ્ટેશનો ખચાખચ ભરેલા જોવા મળે છે.
'મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે', આ અફવાના કારણે લાખો બંગાળના શ્રમિકોની ઘરવાપસી
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુન્ગે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. એક ખાનગી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના લાંબા સમયના વિવાદને કારણે જો આ શિપિંગ રૂટ બંધ થાય, તો વિશ્વભરમાં તેલની કિંમતો વધી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં પહોંચ્યા અજિત ડોભાલ.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ અચાનક સાઉદી અરેબિયાના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેમણે સાઉદીના ટોચના નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. રિયાદમાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 19 એપ્રિલના રોજ આ પ્રવાસ દરમિયાન અજીત ડોભાલે સાઉદીના ઉર્જા મંત્રી, વિદેશ મંત્રી અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં દ્વિપક્ષીય વ્યૂહનીતિ અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અજીત ડોભાલનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ખાડી દેશોમાં ઈરાનને લઈને તણાવ ચરમસીમા પર છે.
જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં પહોંચ્યા અજિત ડોભાલ.
PM Modiએ ઝાલમુરી ખાધી..તે ભેળ કરતા કેટલી છે અલગ ?: પીએમ મોદીએ ઝાલમુરી ખાધી
PM મોદીએ ગાડી રોકાવીને દુકાનેથી ઝાલમુરી ખરીદીને ખાધી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઝાલમુરી ભેળપુરી કરતા સ્વાદમાં પણ અલગ હોય છે. તેમાં ચટણીને બદલે સરસવના તેલ અને ખાસ શેકેલા મસાલાનો ઉપયોગ થાય છે. તેમાં કાચી કેરી, આદુ અને ફણગાવેલા ચણા ઉમેરીને તેને વધુ ચટાકેદાર બનાવવામાં આવે છે. 'ઝાલ' એટલે તીખું અને 'મુરી' એટલે મમરા.
PM Modiએ ઝાલમુરી ખાધી..તે ભેળ કરતા કેટલી છે અલગ ?: પીએમ મોદીએ ઝાલમુરી ખાધી
આસામમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ: જનજીવન અસ્તવ્યસ્ત.
સુરેન્દ્રનગરમાં તાંત્રિક વિધિ માટે ચાર વર્ષના બાળકનું ખૂન, પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો થયો.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં તાંત્રિક વિધિ માટે ચાર વર્ષના માસૂમની હત્યાથી ચકચાર મચી ગઈ છે. બાળકનો મૃતદેહ કુંડીમાંથી મળ્યો, પોસ્ટ મોર્ટમમાં હત્યાનો ખુલાસો થયો છે. પાડોશી રેહાનાબેને અંધશ્રદ્ધામાં તાંત્રિક વિધિ કરી હત્યા કરી, મૃતદેહને કુંડીમાં ફેંકી દીધો હતો.
સુરેન્દ્રનગરમાં તાંત્રિક વિધિ માટે ચાર વર્ષના બાળકનું ખૂન, પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો થયો.
PM મોદીની ઝાલમુરીવાળા સાથે મજેદાર વાતચીત, 'ડુંગળી ખાઉં છું, દિમાગ નહીં'.
પશ્ચિમ બંગાળમાં PM નરેન્દ્ર મોદીએ ઝારગ્રામમાં કાફલો રોકી ઝાલમુરીનો આનંદ માણ્યો. PMએ ઝાલમુરીવાળા સાથે વાતચીતમાં ભાવ પૂછ્યા અને પૈસા આપ્યા. દુકાનદારે ડુંગળી બાબતે પૂછતાં PM Modiએ કહ્યું, "હું ડુંગળી ખાઉં છું, પણ મગજ ખાતો નથી". તેમણે મીઠું નાખવાની પણ ના પાડી કારણ કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર મીઠું ટાળે છે.
PM મોદીની ઝાલમુરીવાળા સાથે મજેદાર વાતચીત, 'ડુંગળી ખાઉં છું, દિમાગ નહીં'.
નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો.
નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ EDની અરજી પર સુનાવણી કરશે. EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો છે, જેણે EDની ચાર્જશીટને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત આરોપીઓને નોટિસ પાઠવી છે. EDએ ગાંધી પરિવાર પર AJLની સંપત્તિઓ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્રાયલ કોર્ટે કહ્યું EDએ પ્રક્રિયા ઉલટાવી. રાહુલ ગાંધીની 50 કલાક સુધી પૂછપરછ થઈ હતી. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો.
મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢના રાજનાંદગાંવમાં તાપમાન 45°C
દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાં મે મહિના પહેલા જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પારો ૪૫°C એ પહોંચતા હવામાન વિભાગે અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશામાં ગરમીને કારણે શાળાઓ બંધ કરાઈ છે, જ્યારે ઝારખંડમાં પ્રાણીઓના રક્ષણ માટે કુલર લગાવાયા છે. બીજી તરફ, પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થયા છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ ૨ થી ૩ ડિગ્રી વધારાની શક્યતા છે.
મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢના રાજનાંદગાંવમાં તાપમાન 45°C
વ્યાજખોરોનો ત્રાસ: અઢી લાખના ત્રણ લાખ ચૂકવ્યા છતાં અભદ્ર ટિપ્પણીઓ.
બોટાદના રાણપુરમાં વ્યાજખોરીની ફરિયાદ. યુવકે બહેનની સગાઈ માટે ₹2.5 લાખ વ્યાજે લીધા, ₹3 લાખ ચૂકવ્યા છતાં ધમકીઓ મળી. આરોપીઓએ પત્ની અને બહેન વિષે અભદ્ર ટિપ્પણી કરી. Ranpur Police station માં ફરિયાદ નોંધાઈ. પોલીસે Money Laundering અને ધમકીના કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
વ્યાજખોરોનો ત્રાસ: અઢી લાખના ત્રણ લાખ ચૂકવ્યા છતાં અભદ્ર ટિપ્પણીઓ.
રાજકોટમાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો, રુડ ચોક પાસે છરીથી હુમલો.
રાજકોટમાં ગરુડ ચોક પાસે શાકીરખાન પઠાણ પર અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કર્યો. Shakirkhan ને ગંભીર ઈજાઓ પહોંચી, હોસ્પિટલમાં ખસેડાયો. હુમલો જૂની અદાવતને કારણે થયો હોવાનું અનુમાન છે. Police એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજ તપાસી હુમલાખોરોને પકડવા તપાસ હાથ ધરી. Incident થી શહેરમાં ભયનો માહોલ ફેલાયો.
રાજકોટમાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો, રુડ ચોક પાસે છરીથી હુમલો.
PMMVY યોજનાના નામે ઠગાઈ.
દાહોદના લીમડી તાલુકાના કાળીમહુડી ગામમાં સાયબર ગઠિયાઓએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના બહાને પાંચ ગરીબ મહિલાઓને નિશાન બનાવી છે. ઠગોએ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી, મહિલાઓના ખાનગી દસ્તાવેજો વોટ્સએપ પર મોકલી વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ એકાઉન્ટ વેરિફિકેશનના નામે લિંક મોકલી ખાતામાંથી હજારો રૂપિયાની ઉચાપત કરી હતી. આ ઘટનામાં સરકારી કચેરીમાંથી ગોપનીય ડેટા લીક થયો હોવાની આશંકા વચ્ચે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે.
PMMVY યોજનાના નામે ઠગાઈ.
સુરતના બિલ્ડર અનિલ રુંગટા સાથે ₹1.26 કરોડની છેતરપિંડી, જમીન દલાલો અને ખેડૂતોએ મિલીભગતથી આચર્યો ગુનો.
સુરતના બિલ્ડર અનિલ રુંગટા સાથે ₹1.26 કરોડની છેતરપિંડી થઈ. પલસાણાના ઈટાળવા ગામમાં જમીન સોદામાં જમીન દલાલો અને ખેડૂતે મળીને વિશ્વાસઘાત કર્યો. જમીન ખરીદવામાં રસ ધરાવતા રુંગટા પાસેથી દલાલોએ ₹1.26 કરોડ લીધા, પણ દસ્તાવેજ ન કર્યો. રુંગટાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ થઈ છે.
સુરતના બિલ્ડર અનિલ રુંગટા સાથે ₹1.26 કરોડની છેતરપિંડી, જમીન દલાલો અને ખેડૂતોએ મિલીભગતથી આચર્યો ગુનો.
સુરતમાં દેશી બનાવટી પિસ્તોલ સાથે આર્યન વાઘની ધરપકડ, પિસ્તોલ વેચવા ગ્રાહક શોધતો પોલીસના સકંજામાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી એક શખ્સ આર્યન વાઘને દેશી બનાવટી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આર્યનને આ પિસ્તોલ 'નિકુંજ' નામના વ્યક્તિએ આપી હતી. નિકુંજ પરત ન આવતા આર્યને પિસ્તોલ વેચવાનો પ્લાન બનાવ્યો, અને ગ્રાહકની શોધમાં હતો, તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો.
સુરતમાં દેશી બનાવટી પિસ્તોલ સાથે આર્યન વાઘની ધરપકડ, પિસ્તોલ વેચવા ગ્રાહક શોધતો પોલીસના સકંજામાં.
મુસ્લિમ અગ્રણીઓની NSA અજીત ડોભાલ સાથેની મુલાકાત.
ભારતના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ NSA અજીત ડોભાલ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી. જેમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. કચ્છના અગ્રણીની હાજરીથી સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. અજીત ડોભાલે ભારતની એકતા પર ભાર મૂક્યો અને દેશના નિર્માણમાં મુસ્લિમ સમાજના યોગદાનને બિરદાવ્યું. હાજી જુમ્મા રાયમાની આ મુલાકાત અનેક ચર્ચાઓ ઊભી કરે છે.
મુસ્લિમ અગ્રણીઓની NSA અજીત ડોભાલ સાથેની મુલાકાત.
ભરૂચમાં વાહનો ખરીદી હપ્તા ન ભરી ઠગાઇ કરનારા સામે બે ફરિયાદ નોંધાઈ.
ભરૂચમાં બાઇક-એક્ટિવા ખરીદી લોનના હપ્તા ન ભરી ગાયબ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવાનને રૂપિયાની જરૂર હોવાથી બાઇક લેવડાવી ગિરવે મુકાવી ઠગાઇ થઇ. રામનગર સોસાયટીના મયુર રાણાને મિત્ર કેયુરે ગાડીની જરૂર હોવાનું જણાવી એક્ટિવા અપાવી, બાદમાં હપ્તા ભર્યા નહિ. અન્ય એક મિત્ર રાજને પણ બાઇક અપાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, રીક્ષા ડ્રાઇવર અલ્તાફને પણ કેયુરે બાઇક ગિરવે મુકાવી રૂપિયા આપવાની વાત કરી ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચમાં વાહનો ખરીદી હપ્તા ન ભરી ઠગાઇ કરનારા સામે બે ફરિયાદ નોંધાઈ.
ભરૂચના પરિવારે બહાર જમવાનું રાખતા તસ્કરો 1.76 લાખની ચોરી કરી ગયા.
ભરૂચના જાકીરપાર્ક સોસાયટીમાં જાવેદ પટેલના ઘરેથી 1.76 લાખની ચોરી થઈ. જાવેદભાઈની પત્ની પિયર ગઈ હતી અને ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. આથી તસ્કરોએ સોનાની લગડીઓ અને રોકડા રૂપિયા 28 હજારની ચોરી કરી. Bharuch B Division Police Stationમાં ફરિયાદ નોંધાઈ.
ભરૂચના પરિવારે બહાર જમવાનું રાખતા તસ્કરો 1.76 લાખની ચોરી કરી ગયા.
તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટથી ૨૩નાં મોત, અનેક ઘાયલ, કાટમાળમાં દટાયાની આશંકા.
તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં ૨૩ લોકોનાં મોત થયા. હજુ કાટમાળમાં લોકો દટાયાની શક્યતા છે, ઘણાં ઘાયલ થયાં છે. નિયમોનો ભંગ કરી રવિવારે ફેક્ટરી ચાલુ રખાઈ હતી. આરોપીઓને પકડવા માટે ચાર વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.
તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટથી ૨૩નાં મોત, અનેક ઘાયલ, કાટમાળમાં દટાયાની આશંકા.
ભારત-રશિયા 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે: મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી.
ભારત અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી 2025 માં થયેલી RCLOS સમજૂતી મુજબ, બંને દેશો એકબીજાના વિસ્તારોમાં 3,000 સૈનિકો, નેવી યુદ્ધ જહાજ અને વિમાન તૈનાત કરી શકશે. આ કરાર ભારતના Russian મૂળના સૈન્ય ઉપકરણોના maintenance અને repairing માટે ઉપયોગી થશે. રશિયન સંસદે ડિસેમ્બર 2025 માં આ સમજૂતીને મંજૂરી આપી.
ભારત-રશિયા 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે: મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી.
લશ્કર-એ-તોયબાનો આતંકી 'ખરગોશ' ભારતના ફેક પાસપોર્ટથી સાઉદી ભાગ્યો.
લશ્કર-એ-તોયબાનો આતંકી ઉમર હારીસ ઉર્ફે ખરગોશ ભારતથી ભાગી સાઉદી અરબમાં છુપાયો છે, ધરપકડ કવાયત શરૂ. તે સજ્જાદના નામે ફેક પાસપોર્ટથી ભારત છોડી ભાગ્યો. 2012માં પાક. સરહદેથી કાશ્મીરમાં ઘૂસેલો હતો. અન્ય ઘટનામાં શ્રીનગર એરપોર્ટથી સેટેલાઇટ ફોન સાથે બે અમેરિકન નાગરિકોની અટકાયત, પૂછપરછ શરૂ.
લશ્કર-એ-તોયબાનો આતંકી 'ખરગોશ' ભારતના ફેક પાસપોર્ટથી સાઉદી ભાગ્યો.
પશ્ચિમ બંગાળ: નંદીગ્રામ સીટ પર સૌની નજર, મમતાની ગેરહાજરી અને શાંતિપૂર્ણ માહોલ.
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક અગત્યની છે. આ વખતે ઉત્તેજના કરતા શાંતિ વધુ છે. સામ્યવાદી શાસનના મૂળિયા ઉખેડનાર આ રણક્ષેત્ર શાંત છે. છેલ્લી ચૂંટણીમાં મમતા વિરુદ્ધ શુભેન્દુનો હાઇપ્રોફાઇલ સંઘર્ષ જોવા મળ્યો હતો. આ વખતે મમતા અને સિનિયર નેતાઓ નથી, શુભેન્દુ સામે કોંગ્રેસે જુગાર રમ્યો છે.
પશ્ચિમ બંગાળ: નંદીગ્રામ સીટ પર સૌની નજર, મમતાની ગેરહાજરી અને શાંતિપૂર્ણ માહોલ.
ગરમીથી જીવનું જોખમ: દર ચારમાંથી ત્રણ વ્યક્તિઓ પર જોખમ, ગરમી 'silent killer' બની.
તીવ્ર ગરમીથી જોખમ વધ્યું, 2021માં 374 અને 2023માં 800 મોત થયા. તાપમાન 45 ડિગ્રીને પાર, સરેરાશ 40 ડિગ્રી આસપાસ રહ્યું. રિપોર્ટ મુજબ, દર ચારમાંથી ત્રણ ભારતીય પર ગરમીનો પ્રકોપ છે. ગયા વર્ષે જમીની સ્તર પર તાપમાન 0.28 ડિગ્રી વધ્યું, 2024 સૌથી ગરમ વર્ષ રહ્યું.
ગરમીથી જીવનું જોખમ: દર ચારમાંથી ત્રણ વ્યક્તિઓ પર જોખમ, ગરમી 'silent killer' બની.
તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાઓએ વૃદ્ધા પાસેથી રૂ. 76.66 લાખ પડાવ્યા.
વેરાવળમાં, બે ઠગ ઉનાના એક વૃદ્ધાને અમોદ્રા મસાણ નજીક જમીનમાં 'ચરૂ' કાઢવાની વિધિના બહાને રૂ. 76.66 લાખના દાગીના અને રોકડની લાલચ આપી છેતરપીંડી આચરી. પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જેમાં અબજો રૂપીયાના હીરા, માણેક અને સોનું કાઢી આપવાનું વચન અપાયું હતું.
તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાઓએ વૃદ્ધા પાસેથી રૂ. 76.66 લાખ પડાવ્યા.
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય: હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી
ટાટા જૂથ ટ્રસ્ટે ‘બાઈ હીરાબાઈ જમશેદજી ટાટા નવસારી ચેરિટેબલ ઈન્સ્ટિટ્યુશન’ના ટ્રસ્ટી બનવાના વર્તમાન વિવાદાસ્પદ નિયમોમાં ફેરફાર કરવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. વર્તમાન નિયમ મુજબ માત્ર પારસીઓને જ ટ્રસ્ટી બનાવાતા હતા, જોકે નવા નિયમ મુજબ હવે બિન-પારસી વ્યક્તિઓને ટ્રસ્ટી બનાવી શકાય તે માટે ટ્રસ્ટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. થોડા દિવસો પહેલા ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી મેહલી મિસ્ત્રીએ ટ્રસ્ટના બોર્ડમાં દિગ્ગજ ઉદ્યોગપતિ વેણુ શ્રીનિવાસન અને પૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહને સામેલ કરાતા મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરને ફરિયાદ નોંધાવી હતી.
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય: હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી
તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 10થી વધુના મોત, અનેક ઈજાગ્રસ્ત
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડા બનાવવાની યુનિટમાં જોરદાર વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના કંપારીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અગાઉ 9 લોકોના મોતની આશંકા હતી, પરંતુ કાટમાળ હટાવતી વખતે મૃતકોની સંખ્યા 10થી વધારે થઈ ગઈ છે. બીજી બાજુ ઓછામાં ઓછા 6 લોકો ઈજાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 10થી વધુના મોત, અનેક ઈજાગ્રસ્ત
પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર.
ભારત સરકારે દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં પોતાના નવા હાઈકમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે અને બંને દેશો પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દિનેશ ત્રિવેદીની આ નિમણૂક રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના રાજકારણને ધ્યાનમાં રાખતા તેને ભાજપનું એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે આગામી ચૂંટણીના સમીકરણો પર અસર કરી શકે છે.
પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર.
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક મહત્ત્વની ઘટના સામે આવી છે. સુરક્ષા દળોએ બે અમેરિકન નાગરિકોને તેમની પાસે પ્રતિબંધિત સેટેલાઈટ ફોન હોવા બદલ અટકાયતમાં લીધા છે. એરપોર્ટ પર સ્ક્રિનિંગ દરમિયાન આ સાધન મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર, આ બંને અમેરિકન નાગરિકો જ્યારે એરપોર્ટ પરથી રવાના થવાની તૈયારીમાં હતા ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન તેમના સામાનમાંથી સેટેલાઈટ ફોન મળી આવ્યો હતો.