ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરને કોર્ટમાં રજૂ કરાયા, બે દિવસના રિમાન્ડ મંજૂર
ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરને કોર્ટમાં રજૂ કરાયા, બે દિવસના રિમાન્ડ મંજૂર
Published on: 20th April, 2026

અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં ગત શનિવારે (18 એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની કરપીણ હત્યા થઈ હતી. આ મામલે તાત્કાલિક મુખ્ય બે આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ હવે આજે(20 એપ્રિલ) પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો સંવેદનશીલ હોવાથી અને શહેરમાં તણાવભરી સ્થિતિને જોતા કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.