ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય: હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય: હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી
Published on: 19th April, 2026

ટાટા જૂથ ટ્રસ્ટે ‘બાઈ હીરાબાઈ જમશેદજી ટાટા નવસારી ચેરિટેબલ ઈન્સ્ટિટ્યુશન’ના ટ્રસ્ટી બનવાના વર્તમાન વિવાદાસ્પદ નિયમોમાં ફેરફાર કરવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. વર્તમાન નિયમ મુજબ માત્ર પારસીઓને જ ટ્રસ્ટી બનાવાતા હતા, જોકે નવા નિયમ મુજબ હવે બિન-પારસી વ્યક્તિઓને ટ્રસ્ટી બનાવી શકાય તે માટે ટ્રસ્ટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. થોડા દિવસો પહેલા ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી મેહલી મિસ્ત્રીએ ટ્રસ્ટના બોર્ડમાં દિગ્ગજ ઉદ્યોગપતિ વેણુ શ્રીનિવાસન અને પૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહને સામેલ કરાતા મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરને ફરિયાદ નોંધાવી હતી.