ભારત-રશિયા 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે: મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી.
ભારત અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી 2025 માં થયેલી RCLOS સમજૂતી મુજબ, બંને દેશો એકબીજાના વિસ્તારોમાં 3,000 સૈનિકો, નેવી યુદ્ધ જહાજ અને વિમાન તૈનાત કરી શકશે. આ કરાર ભારતના Russian મૂળના સૈન્ય ઉપકરણોના maintenance અને repairing માટે ઉપયોગી થશે. રશિયન સંસદે ડિસેમ્બર 2025 માં આ સમજૂતીને મંજૂરી આપી.
ભારત-રશિયા 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે: મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી.
અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન પહોંચી ગયું પણ ઈરાની નેતા ન આવ્યા, વાતચીત માટે ઇનકાર કરતા ટ્રમ્પ ચિંતામાં!
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ સોમવારે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર લેન્ડ થયું છે, પરંતુ ઈરાને આ બીજા તબક્કાની મંત્રણામાં જોડાવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અલજઝીરાના રિપોર્ટ અને ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઇલ બઘઈના નિવેદન મુજબ, હાલમાં અમેરિકા સાથે વાતચીતનો કોઈ પ્લાન નથી અને ભવિષ્યમાં પણ ક્યારે વાત થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન પહોંચી ગયું પણ ઈરાની નેતા ન આવ્યા, વાતચીત માટે ઇનકાર કરતા ટ્રમ્પ ચિંતામાં!
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
PM નરેન્દ્ર મોદીએ આજે (20 એપ્રિલ) નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટૅક્નોલૉજીથી લઈને કે-પોપમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બંને દેશના નેતાઓ વચ્ચે MOU કરાયા છે. આ ઉપરાંત વેપાર, સંસ્કૃતિ અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ભાગીદારી વધારવા પર પણ ભાર અપાયો છે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી અને દ. કોરિયાના પ્રમુખ મ્યુંગે સંબોધન પણ કર્યું હતું.
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
દેશની સૌથી મોટી ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી, પચપદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. PM નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે, તેના બરાબર એક દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરચક્ર ગતિમાન કરવામાં આવ્યું છે. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
દેશની સૌથી મોટી ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
જાપાનના ઉત્તર-પૂર્વ તટ પર સોમવારે 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતા સમગ્ર દેશ ધ્રૂજી ઉઠ્યો છે. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે તંત્ર દ્વારા તાત્કાલિક સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને તટીય વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ અપાયા છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ પ્રશાંત મહાસાગરમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઇવાતે, આઓમોરી અને હોકાઈડોમાં 3 મીટર સુધી ઊંચી સુનામી લહેરો આવવાની આશંકા છે.
જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
'મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે', આ અફવાના કારણે લાખો બંગાળના શ્રમિકોની ઘરવાપસી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ને લઈને પરપ્રાંતમાં રહેતા બંગાળી મતદારોમાં ભારે ઉત્સાહ અને સાથે જ એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ચેન્નાઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને કારણે સ્થિતિ પરપ્રાંતિયોના પલાયન જેવી જોવા મળી રહી છે. રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે હોવા છતાં સ્ટેશનો ખચાખચ ભરેલા જોવા મળે છે.
'મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે', આ અફવાના કારણે લાખો બંગાળના શ્રમિકોની ઘરવાપસી
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુન્ગે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. એક ખાનગી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના લાંબા સમયના વિવાદને કારણે જો આ શિપિંગ રૂટ બંધ થાય, તો વિશ્વભરમાં તેલની કિંમતો વધી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં પહોંચ્યા અજિત ડોભાલ.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ અચાનક સાઉદી અરેબિયાના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેમણે સાઉદીના ટોચના નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. રિયાદમાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 19 એપ્રિલના રોજ આ પ્રવાસ દરમિયાન અજીત ડોભાલે સાઉદીના ઉર્જા મંત્રી, વિદેશ મંત્રી અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં દ્વિપક્ષીય વ્યૂહનીતિ અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અજીત ડોભાલનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ખાડી દેશોમાં ઈરાનને લઈને તણાવ ચરમસીમા પર છે.
જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં પહોંચ્યા અજિત ડોભાલ.
ઈરાનના સત્તાપલટો?
સ્ટેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના કાર્ગો જહાજ પર અમેરિકાએ કરેલા હુમલાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ હુમલા બાદ ઈરાનની અંદર કૂટનીતિક ટીમોને સાઈડલાઈન કરી દેવામાં આવી છે અને IRGCના કટ્ટરપંથી કમાન્ડરોએ દેશના મહત્વના નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે. ધ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, IRGCના કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી હવે ઈરાનના મુખ્ય નિર્ણયકર્તા બની ગયા છે. અત્યાર સુધી અમેરિકા સાથે નરમ વલણ અપનાવતા વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને કિનારે કરી દેવાયા છે. વાહિદી અને તેમની ટીમે સ્પષ્ટતા કરી છે કે, US સાથેની કોઈપણ શાંતિ વાટાઘાટો હાલમાં મુલતવી રાખવામાં આવી છે.
ઈરાનના સત્તાપલટો?
સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે દક્ષિણ લેબેનોનમાં 'બફર ઝોન'નો નકશો જાહેર કર્યો
ઇઝરાયલની સેનાએ દક્ષિણ લેબેનોનમાં 'બફર ઝોન' બનાવવા માટે એક નવો નકશો જાહેર કર્યો છે, જે લેબેનોન સરહદની અંદર કેટલાય કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ નકશામાં ભૂમધ્ય સમુદ્રથી લઈને સીરિયાની સરહદ પાસે આવેલા માઉન્ટ હરમોન સુધીની એક લાંબી પટ્ટી દર્શાવવામાં આવી છે. ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ અને સંરક્ષણમંત્રી ઇઝરાયલ કોટ્ઝે સ્પષ્ટ કર્યું છે કે કામચલાઉ સીઝફાયર લાગુ હોવા છતાં, ઇઝરાયલી સૈનિકો આ વિસ્તારમાંથી પાછા હટશે નહીં. સંરક્ષણમંત્રીએ વધુમાં ચેતવણી આપી છે કે આ વિસ્તારમાં આવેલા ઘરો અને ઈમારતોને તોડી પાડવામાં આવશે અને જે પણ વ્યક્તિ હિઝબુલ્લાહ સાથે જોડાયેલી જણાશે તેને ઠાર કરવામાં આવશે.
સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે દક્ષિણ લેબેનોનમાં 'બફર ઝોન'નો નકશો જાહેર કર્યો
PM Modiએ ઝાલમુરી ખાધી..તે ભેળ કરતા કેટલી છે અલગ ?: પીએમ મોદીએ ઝાલમુરી ખાધી
PM મોદીએ ગાડી રોકાવીને દુકાનેથી ઝાલમુરી ખરીદીને ખાધી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઝાલમુરી ભેળપુરી કરતા સ્વાદમાં પણ અલગ હોય છે. તેમાં ચટણીને બદલે સરસવના તેલ અને ખાસ શેકેલા મસાલાનો ઉપયોગ થાય છે. તેમાં કાચી કેરી, આદુ અને ફણગાવેલા ચણા ઉમેરીને તેને વધુ ચટાકેદાર બનાવવામાં આવે છે. 'ઝાલ' એટલે તીખું અને 'મુરી' એટલે મમરા.
PM Modiએ ઝાલમુરી ખાધી..તે ભેળ કરતા કેટલી છે અલગ ?: પીએમ મોદીએ ઝાલમુરી ખાધી
આસામમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ: જનજીવન અસ્તવ્યસ્ત.
PM મોદીની ઝાલમુરીવાળા સાથે મજેદાર વાતચીત, 'ડુંગળી ખાઉં છું, દિમાગ નહીં'.
પશ્ચિમ બંગાળમાં PM નરેન્દ્ર મોદીએ ઝારગ્રામમાં કાફલો રોકી ઝાલમુરીનો આનંદ માણ્યો. PMએ ઝાલમુરીવાળા સાથે વાતચીતમાં ભાવ પૂછ્યા અને પૈસા આપ્યા. દુકાનદારે ડુંગળી બાબતે પૂછતાં PM Modiએ કહ્યું, "હું ડુંગળી ખાઉં છું, પણ મગજ ખાતો નથી". તેમણે મીઠું નાખવાની પણ ના પાડી કારણ કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર મીઠું ટાળે છે.
PM મોદીની ઝાલમુરીવાળા સાથે મજેદાર વાતચીત, 'ડુંગળી ખાઉં છું, દિમાગ નહીં'.
US-ઇરાન તકરારથી હોર્મુઝમાં ટેન્શન વધતા ઇંધણના ભાવમાં ભડકો.
હોર્મુઝ જળસંધિ મુદ્દે અસહમતી અને US નાકાબંધીના પ્રયાસોથી ઈરાની જહાજો કબજે કરાઈ રહ્યા છે, જ્યારે ઈરાન દ્વારા US નેવી પર ડ્રોન હુમલાની ખબર છે. યુદ્ધ અને તણાવ વધતા બ્રેન્ટ ક્રૂડ 6% અને WTI ક્રૂડમાં 7%નો વધારો થયો છે. ટ્રમ્પે હોર્મુઝમાં US નાકાબંધી ચાલુ રાખતા તેહરાને ગોળીબારી કરી અને USએ ઈરાની જહાજ જપ્ત કર્યું, જેનાથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે.
US-ઇરાન તકરારથી હોર્મુઝમાં ટેન્શન વધતા ઇંધણના ભાવમાં ભડકો.
નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો.
નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ EDની અરજી પર સુનાવણી કરશે. EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો છે, જેણે EDની ચાર્જશીટને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત આરોપીઓને નોટિસ પાઠવી છે. EDએ ગાંધી પરિવાર પર AJLની સંપત્તિઓ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્રાયલ કોર્ટે કહ્યું EDએ પ્રક્રિયા ઉલટાવી. રાહુલ ગાંધીની 50 કલાક સુધી પૂછપરછ થઈ હતી. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો.
મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢના રાજનાંદગાંવમાં તાપમાન 45°C
દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાં મે મહિના પહેલા જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પારો ૪૫°C એ પહોંચતા હવામાન વિભાગે અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશામાં ગરમીને કારણે શાળાઓ બંધ કરાઈ છે, જ્યારે ઝારખંડમાં પ્રાણીઓના રક્ષણ માટે કુલર લગાવાયા છે. બીજી તરફ, પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થયા છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ ૨ થી ૩ ડિગ્રી વધારાની શક્યતા છે.
મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢના રાજનાંદગાંવમાં તાપમાન 45°C
દાહોદના બિરસા મુંડા ભવનમાં ₹20 લાખના ખર્ચે આધુનિક Library બનશે.
દાહોદના બિરસામુંડા ભવનમાં આદિવાસી યુવાનો માટે ₹20 લાખના ખર્ચે આધુનિક Library કમ રીડિંગ રૂમ બનશે. 19 એપ્રિલે શુભારંભ કરાયો. આ Libraryમાં 60-70 યુવાનો સરકારી નોકરી મેળવી ચૂક્યા છે, અને 70 વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરે છે. વધતી સંખ્યાને પહોંચી વળવા આધુનિક સુવિધા વિકસાવાશે. સમાજના અગ્રણીઓએ ₹3 લાખનું યોગદાન આપ્યું છે, જેમાં રૂપેશભાઈ ગરોડે ₹1,11,111નું યોગદાન આપ્યું.
દાહોદના બિરસા મુંડા ભવનમાં ₹20 લાખના ખર્ચે આધુનિક Library બનશે.
કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા HIGH COMMISSIONER.
કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા HIGH COMMISSIONER બન્યા. તેઓ પ્રણય વર્માનું સ્થાન લેશે. દિનેશ ત્રિવેદીનો પરિવાર કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામનો વતની છે. તેઓ ભૂતકાળમાં કેન્દ્રીય રેલ મંત્રી રહી ચૂક્યા છે. બાંગ્લાદેશમાં તાજેતરના રાજકીય ફેરફારો પછી તેમની નિમણૂક મહત્વપૂર્ણ છે. તેઓ 2009 થી 2019 સુધી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરી બનાવવા માંગતા હતા. આ નિમણૂક રાજકીય અને રાજદ્વારી રીતે મહત્વની છે.
કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા HIGH COMMISSIONER.
મુસ્લિમ અગ્રણીઓની NSA અજીત ડોભાલ સાથેની મુલાકાત.
ભારતના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ NSA અજીત ડોભાલ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી. જેમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. કચ્છના અગ્રણીની હાજરીથી સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. અજીત ડોભાલે ભારતની એકતા પર ભાર મૂક્યો અને દેશના નિર્માણમાં મુસ્લિમ સમાજના યોગદાનને બિરદાવ્યું. હાજી જુમ્મા રાયમાની આ મુલાકાત અનેક ચર્ચાઓ ઊભી કરે છે.
મુસ્લિમ અગ્રણીઓની NSA અજીત ડોભાલ સાથેની મુલાકાત.
હોર્મુઝમાં જંગના એંધાણ: Trumpના આદેશથી અમેરિકાએ જહાજ જપ્ત કર્યું, ઈરાન વળતો જવાબ આપશે.
પશ્ચિમ એશિયાના હોર્મુઝ જળમાર્ગમાં સ્થિતિ સ્ફોટક; Trumpના આદેશથી US Navyએ ઈરાની જહાજ TOUSKA જપ્ત કર્યું, જેણે અમેરિકી નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચેતવણી છતાં જહાજ ન રોકાતા બળપૂર્વક કબજે કરાયું, હાલમાં જહાજ US મરીનના નિયંત્રણમાં છે અને ઈરાને વળતો જવાબ આપવાની વાત કરી છે.
હોર્મુઝમાં જંગના એંધાણ: Trumpના આદેશથી અમેરિકાએ જહાજ જપ્ત કર્યું, ઈરાન વળતો જવાબ આપશે.
રોજ ભગવદ્ ગીતાના શ્લોક બાળકોને કંઠસ્થ કરાવતા શિક્ષક
પાલિતાણાની લુવારવાવ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવા માટે 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના શ્લોક પારાયણનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. શાળાના શિક્ષકોના સહયોગથી બાળકો દરરોજ એક શ્લોક અને તેનો ભાવાર્થ શીખીને સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરે છે. અત્યાર સુધી ૨૮૦ શ્લોક પૂર્ણ થયા છે અને કુલ ૭૦૦ શ્લોકનો લક્ષ્યાંક છે. રાજ્ય સરકારના ગીતા શિક્ષણના અભિગમ સાથે સુસંગત આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરુચિ કેળવવાની સાથે નૈતિક મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવામાં આવી રહ્યું છે.
રોજ ભગવદ્ ગીતાના શ્લોક બાળકોને કંઠસ્થ કરાવતા શિક્ષક
તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટથી ૨૩નાં મોત, અનેક ઘાયલ, કાટમાળમાં દટાયાની આશંકા.
તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં ૨૩ લોકોનાં મોત થયા. હજુ કાટમાળમાં લોકો દટાયાની શક્યતા છે, ઘણાં ઘાયલ થયાં છે. નિયમોનો ભંગ કરી રવિવારે ફેક્ટરી ચાલુ રખાઈ હતી. આરોપીઓને પકડવા માટે ચાર વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.
તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટથી ૨૩નાં મોત, અનેક ઘાયલ, કાટમાળમાં દટાયાની આશંકા.
લશ્કર-એ-તોયબાનો આતંકી 'ખરગોશ' ભારતના ફેક પાસપોર્ટથી સાઉદી ભાગ્યો.
લશ્કર-એ-તોયબાનો આતંકી ઉમર હારીસ ઉર્ફે ખરગોશ ભારતથી ભાગી સાઉદી અરબમાં છુપાયો છે, ધરપકડ કવાયત શરૂ. તે સજ્જાદના નામે ફેક પાસપોર્ટથી ભારત છોડી ભાગ્યો. 2012માં પાક. સરહદેથી કાશ્મીરમાં ઘૂસેલો હતો. અન્ય ઘટનામાં શ્રીનગર એરપોર્ટથી સેટેલાઇટ ફોન સાથે બે અમેરિકન નાગરિકોની અટકાયત, પૂછપરછ શરૂ.
લશ્કર-એ-તોયબાનો આતંકી 'ખરગોશ' ભારતના ફેક પાસપોર્ટથી સાઉદી ભાગ્યો.
ઇરાન માટે શસ્ત્રોના સોદામાં સંડોવાયેલી ઈરાની મહિલાની અમેરિકામાં ધરપકડ.
ઈરાની મૂળની મહિલાની લોસ એન્જેલસ એરપોર્ટ પરથી ધરપકડ, ઇરાન માટે શસ્ત્રોના સોદાનો આરોપ. શમિમ માફીએ મોહજેર-૬ drone, બોમ્બ ફ્યુઝ, દારૂગોળા માટે 7 કરોડ ડોલરના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યાનો આરોપ છે. આ હથિયારોનો ઉપયોગ સુદાનમાં ગૃહયુદ્ધમાં થવાનો હતો. મહિલા ઈરાનના જાસૂસી અને સુરક્ષા મંત્રાલયના સંપર્કમાં હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ઇરાન માટે શસ્ત્રોના સોદામાં સંડોવાયેલી ઈરાની મહિલાની અમેરિકામાં ધરપકડ.
રામ મંદિર અને સંસદ ભવન પરના આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ ગયું.
દિલ્હી પોલીસે મોસૈબ ઉર્ફ સોનૂ કલામની ધરપકડ કરી છે, જે ગઝવા-એ-હિન્દથી પ્રભાવિત હતો. મોસૈબે દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોની RECCE કરી હતી અને સોશિયલ મીડિયા પર કટ્ટરવાદ ફેલાવતો હતો. આઝમગઢમાં દિલ્હી પોલીસની SPECIAL CELLએ થાણેમાં આ ધરપકડ કરી છે, ત્યારબાદ એજન્સીઓ ALERT થઈ ગઈ છે. આ સંગઠન અયોધ્યાના રામ મંદિર, નવુ સંસદ ભવન અને મુખ્ય સૈન્ય મથકો પર વિસ્ફોટ અથવા આત્મઘાતી હુમલાનું કાવતરુ ઘડી રહ્યું હતું.
રામ મંદિર અને સંસદ ભવન પરના આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ ગયું.
પશ્ચિમ બંગાળ: નંદીગ્રામ સીટ પર સૌની નજર, મમતાની ગેરહાજરી અને શાંતિપૂર્ણ માહોલ.
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક અગત્યની છે. આ વખતે ઉત્તેજના કરતા શાંતિ વધુ છે. સામ્યવાદી શાસનના મૂળિયા ઉખેડનાર આ રણક્ષેત્ર શાંત છે. છેલ્લી ચૂંટણીમાં મમતા વિરુદ્ધ શુભેન્દુનો હાઇપ્રોફાઇલ સંઘર્ષ જોવા મળ્યો હતો. આ વખતે મમતા અને સિનિયર નેતાઓ નથી, શુભેન્દુ સામે કોંગ્રેસે જુગાર રમ્યો છે.
પશ્ચિમ બંગાળ: નંદીગ્રામ સીટ પર સૌની નજર, મમતાની ગેરહાજરી અને શાંતિપૂર્ણ માહોલ.
મલેશિયામાં ભીષણ આગ: 1000 મકાનો બળીને ખાક, 9000 લોકો બેઘર થયા.
મલેશિયાના સબાહ રાજ્યના સંડાકન જિલ્લામાં આગ લાગવાથી 1000 મકાનો બળી ગયા, 9000થી વધુ લોકો બેઘર થયા. આ ઘટના સબાહના સંડાસન જિલ્લામાં આવેલા વોટર વિલેજમાં બની હતી. ફાયર ડિપાર્ટમેન્ટને રાતે 1.32 કલાકે આગની માહિતી મળી હતી. જિમ્મી લગુંગે જણાવ્યું કે પવનો અને ઘરની નિકટતાને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી. સબાહના લાકડીના ઘરો ધરાવતા ગામોમાં આગ લાગી હતી. કોઈ જાનહાનિ થઈ નથી.
મલેશિયામાં ભીષણ આગ: 1000 મકાનો બળીને ખાક, 9000 લોકો બેઘર થયા.
ગરમીથી જીવનું જોખમ: દર ચારમાંથી ત્રણ વ્યક્તિઓ પર જોખમ, ગરમી 'silent killer' બની.
તીવ્ર ગરમીથી જોખમ વધ્યું, 2021માં 374 અને 2023માં 800 મોત થયા. તાપમાન 45 ડિગ્રીને પાર, સરેરાશ 40 ડિગ્રી આસપાસ રહ્યું. રિપોર્ટ મુજબ, દર ચારમાંથી ત્રણ ભારતીય પર ગરમીનો પ્રકોપ છે. ગયા વર્ષે જમીની સ્તર પર તાપમાન 0.28 ડિગ્રી વધ્યું, 2024 સૌથી ગરમ વર્ષ રહ્યું.
ગરમીથી જીવનું જોખમ: દર ચારમાંથી ત્રણ વ્યક્તિઓ પર જોખમ, ગરમી 'silent killer' બની.
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય: હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી
ટાટા જૂથ ટ્રસ્ટે ‘બાઈ હીરાબાઈ જમશેદજી ટાટા નવસારી ચેરિટેબલ ઈન્સ્ટિટ્યુશન’ના ટ્રસ્ટી બનવાના વર્તમાન વિવાદાસ્પદ નિયમોમાં ફેરફાર કરવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. વર્તમાન નિયમ મુજબ માત્ર પારસીઓને જ ટ્રસ્ટી બનાવાતા હતા, જોકે નવા નિયમ મુજબ હવે બિન-પારસી વ્યક્તિઓને ટ્રસ્ટી બનાવી શકાય તે માટે ટ્રસ્ટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. થોડા દિવસો પહેલા ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી મેહલી મિસ્ત્રીએ ટ્રસ્ટના બોર્ડમાં દિગ્ગજ ઉદ્યોગપતિ વેણુ શ્રીનિવાસન અને પૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહને સામેલ કરાતા મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરને ફરિયાદ નોંધાવી હતી.
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય: હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી
ટ્રમ્પની મોટી જાહેરાત: આવતીકાલે પાકિસ્તાનમાં ઈરાન સાથે અમેરિકન ડેલિગેશનની બીજા રાઉન્ડની બેઠક.
સોમવારે અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચશે, જ્યાં ઈરાન સાથેના દ્વિપક્ષીય સંઘર્ષને સમાપ્ત કરવા માટે બીજા તબક્કાની તકનીકી સ્તરની વાતચીત થશે તેવી ટ્રમ્પે કરી છે. ટ્રમ્પે કહ્યું કે જો તે ડીલ નહીં કરે તો ઈરાન પર હવે વધુ નરમાશ રાખવામાં આવશે નહીં. તેઓ જલ્દી અને સરળતાથી નમી જશે અને જો તેઓ સમજૂતી નહીં કરે, તો જે કરવું જરૂરી છે તે કરવું મારા માટે સન્માનની વાત હશે, જે છેલ્લા 47 વર્ષોમાં બાકીના રાષ્ટ્ર પ્રમુખોઓએ કરવું જોઈતું હતું. હવે સમય આવી ગયો છે કે ઈરાનની કિલિંગ મશીનનો અંત આવે!
ટ્રમ્પની મોટી જાહેરાત: આવતીકાલે પાકિસ્તાનમાં ઈરાન સાથે અમેરિકન ડેલિગેશનની બીજા રાઉન્ડની બેઠક.
તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 10થી વધુના મોત, અનેક ઈજાગ્રસ્ત
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડા બનાવવાની યુનિટમાં જોરદાર વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના કંપારીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અગાઉ 9 લોકોના મોતની આશંકા હતી, પરંતુ કાટમાળ હટાવતી વખતે મૃતકોની સંખ્યા 10થી વધારે થઈ ગઈ છે. બીજી બાજુ ઓછામાં ઓછા 6 લોકો ઈજાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.