રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના: સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત, અનેક કાટમાળ નીચે દટાયા.
રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના: સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત, અનેક કાટમાળ નીચે દટાયા.
Published on: 25th July, 2025

રાજસ્થાન શાળાની છત ધરાશાયી: રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાની છત તૂટી પડતાં દુર્ઘટના બની. મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદીમાં સરકારી શાળાની છત અચાનક તૂટી પડી. વર્ગખંડમાં લગભગ 60 બાળકો હાજર હતા, જેમાં ઘણા દટાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 4 બાળકોનું મોત નિપજ્યું છે.