પુરી રથયાત્રામાં 10 લાખ ભક્તો, બેના દુઃખદ અવસાન: બીમારીથી મૃત્યુ, નાસભાગ નહીં: આજે પુનઃ શરૂ થશે
પુરી રથયાત્રામાં 10 લાખ ભક્તો, બેના દુઃખદ અવસાન: બીમારીથી મૃત્યુ, નાસભાગ નહીં: આજે પુનઃ શરૂ થશે
Published on: 17th July, 2026

ઓડિશાના પુરીમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. બે ભક્તોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જેમાં એક હાર્ટ એટેકથી અને અન્ય બીમારીથી ગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે, કોઈ દુર્ઘટના કે નાસભાગ કારણ નથી. 7 શ્રદ્ધાળુઓને તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. સતત વરસાદ વચ્ચે પણ યાત્રા યોજાઈ. મહાપ્રભુના રથ 200 મીટર, બલભદ્રજીના 500 મીટર અને સુભદ્રાજીના 700 મીટર આગળ વધ્યા. આજે પૂજા-ભોગ બાદ યાત્રા ફરી શરૂ થશે.