ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ
ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ
Published on: 17th July, 2026

ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને, આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યું છે. ડીએચએસ પ્રોગ્રામ કમિટી, સીએચસી અને પીઆઈયુ દ્વારા સમીક્ષા બેઠકો યોજાઈ હતી. ખાસ કરીને બાળકોને અસર કરતા આ વાયરસ માટે પીડિયાટ્રીક (બાળરોગ) સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આરોગ્ય વિભાગની સજ્જતા ચકાસવા કલેકટર ડો.નવનાથ ગવ્હાણેએ કેએમસીઆરઆઈ મેડિકલ કોલેજની મુલાકાત લીધી, જ્યાં આઈસોલેશન વોર્ડ અને વેન્ટિલેટરની સ્થિતિ ચકાસવામાં આવી.