થાનગઢના મોટા-નાના તળાવમાં પાણીની આવક બંધ, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ
થાનગઢના મોટા-નાના તળાવમાં પાણીની આવક બંધ, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ
Published on: 17th July, 2026

થાનગઢ શહેર માટે જીવનરેખા સમાન મોટા અને નાના તળાવમાં પાણીની આવક બંધ થતાં લોકો ચિંતિત બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતું પાણી વહેણ દ્વારા તળાવમાં ભળે છે, પરંતુ નદીઓના પટમાં થયેલા દબાણો અને ગંદકીને કારણે પાણીનો પ્રવાહ અવરોધાયો છે. સ્થાનિક તંત્ર દ્વારા સમયસર સફાઈ અને દબાણ દૂર ન કરાતા તળાવ કોરા પડ્યા છે. આ પરિસ્થિતિમાં, રહીશો માંગ કરી રહ્યા છે કે નદીઓના પટની સફાઈ થાય અને ગેરકાયદે દબાણો દૂર કરાય, જેથી ભૂગર્ભ જળ સ્તર જળવાઈ રહે અને શહેરને પીવાના પાણીની અછત ન નડે.