નર્મદા: દત્તવાડા ગામમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં ખુશી અને રાહતનો માહોલ
નર્મદા: દત્તવાડા ગામમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં ખુશી અને રાહતનો માહોલ
Published on: 17th July, 2026

સાગબારા તાલુકાના દત્તવાડા ગામમાં દીપડાના ભયને કારણે ગ્રામજનોમાં ચિંતા હતી. વન વિભાગ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોથી આખરે દીપડો પાંજરે પુરાયો છે, જેના કારણે ગામમાં અને આસપાસના વિસ્તારોમાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. વન વિભાગે લોકોને જંગલી પ્રાણીઓથી સાવચેત રહેવા અને તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. આ દીપડાને રાજપીપળા રેસ્ક્યુ સેન્ટરમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો છે.