દાહોદ લીમડીમાં રથયાત્રા પહેલાં ગજરાજ 'લક્ષ્મી'નું અચાનક મોત, શોક છવાયો
દાહોદ લીમડીમાં રથયાત્રા પહેલાં ગજરાજ 'લક્ષ્મી'નું અચાનક મોત, શોક છવાયો
Published on: 17th July, 2026

દાહોદ જિલ્લાના લીમડી ખાતે અષાઢી બીજ પર્વે યોજાયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામેલ થવા વડોદરાથી લવાયેલા ગજરાજ 'લક્ષ્મી'નું રથયાત્રા શરૂ થાય તે પૂર્વે જ અચાનક મોત નીપજ્યું. 40 વર્ષીય આ ગજરાજનું અગમ્ય કારણોસર મોત થતાં રથયાત્રામાં સામેલ ભક્તો અને આયોજકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ ઘટના બાદ તંત્ર દ્વારા તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગજરાજની દફનવિધી બાદ ત્યાં ભગવાન ગણપતિનું મંદિર બનાવવાનો નિર્ણય લેવાયો છે.