છોટાઉદેપુર: ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરચર્યા, અષાઢી બીજની રથયાત્રા
છોટાઉદેપુર: ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરચર્યા, અષાઢી બીજની રથયાત્રા
Published on: 17th July, 2026

છોટાઉદેપુર નગરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી, ભ્રાતા બલભદ્ર અને ભગિની સુભદ્રાની ભવ્ય રથયાત્રા યોજાઈ. રણછોડરાય મંદિરથી નીકળેલી આ યાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. 5 બગી, બેન્ડ, ડીજે, ભજન મંડળી, ઘોડા અને ઢોલ-નગારા સાથે આકર્ષક શોભાયાત્રા નીકળી હતી. સાંસદ અને ધારાસભ્યો સહિત અનેક આગેવાનોએ પહિંદવિધિ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખના નેતૃત્વ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.