ડભોઇના બહુચરાજી મંદિર પાસે ગટરના ગંદા પાણી: તંત્રની ઘોર ઉદાસીનતા, સ્થાનિકો ત્રસ્ત
ડભોઇના બહુચરાજી મંદિર પાસે ગટરના ગંદા પાણી: તંત્રની ઘોર ઉદાસીનતા, સ્થાનિકો ત્રસ્ત
Published on: 17th July, 2026

ડભોઈ શહેરના પ્રખ્યાત બહુચરાજી માતાજી મંદિર નજીક છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી જાહેર રોડ પર વહી રહ્યાં છે. આ કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. નગરપાલિકામાં અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વિસ્તારમાં કચરાના ઢગલા પણ ખડકાયા છે, જે મચ્છરો અને જીવાતોનું સંવર્ધન કેન્દ્ર બન્યું છે. ચાંદીપુરા વાયરસ અને મચ્છરજન્ય રોગોના ભય વચ્ચે, ગંદકીને કારણે ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.