દહીંહાંડી ફોડતા પટકાયેલા યુવકનું સિવિલમાં મોત: પરિવારે તબીબોની બેદરકારી જવાબદાર ઠેરવી, પિતાએ કહ્યું-'મારો પુત્ર હલી શકતો નહોતો'.
દહીંહાંડી ફોડતા પટકાયેલા યુવકનું સિવિલમાં મોત: પરિવારે તબીબોની બેદરકારી જવાબદાર ઠેરવી, પિતાએ કહ્યું-'મારો પુત્ર હલી શકતો નહોતો'.
Published on: 11th September, 2025

સુરત સિવિલ હોસ્પિટલમાં દહીંહાંડીમાં પડેલા યુવકનું મોત થતા વિવાદ થયો છે. પરિવારે હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો. 21 વર્ષીય જયેશસિંહ મટકી ફોડતા નીચે પડ્યો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઓપરેશન બાદ તબિયત લથડી અને ICUમાં દાખલ કરવામાં પણ આનાકાની કરી. જયેશના પિતાએ તબીબો પર આક્ષેપ કર્યો કે નળી કઈ રીતે ચાવી શકે? હોસ્પિટલ તપાસ કરશે. જયેશના મોતથી પરિવાર શોકમાં છે.