ભાવનગરના શેલારશા પીરના ઉર્ષ શરીફની ઉજવણી: ત્રણ દિવસ ચાલનારા કાર્યક્રમોમાં ધાર્મિક વિધિઓનું આયોજન.
Published on: 28th July, 2025

ભાવનગર શહેરમાં હઝરત રોશન ઝમીર શેલારશા પીરનો ઉર્ષ શરીફ તા.29થી 31 સુધી ઉજવાશે. જેમાં તા.29મીએ સૈયદ મોમીન અકબરબાપુ કાદરીની તકરીર, તા.30મીએ સૈયદ અમીનુલ કાદરી સાહેબની તકરીર અને બયાનબાદ ન્યાજ શરીફ, તથા તા.31મીએ મિલાદ શરીફ અને સંદલ શરીફ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તમામ શ્રદ્ધાળુઓને ઉર્ષ શરીફમાં હાજરી આપવા અનુરોધ કરાયો છે.