ધોળકામાં વરસાદી પાણીમાં તણાઈ આવતા બે પુરુષોના મૃતદેહો મળ્યા
ધોળકામાં વરસાદી પાણીમાં તણાઈ આવતા બે પુરુષોના મૃતદેહો મળ્યા
Published on: 26th July, 2026

અમદાવાદ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન, ધોળકામાંથી એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં પાણીના ભારે પ્રવાહમાં બે અલગ-અલગ સ્થળોએથી બે અજાણ્યા પુરુષોના મૃતદેહો વહી આવ્યા છે. આ મૃતદેહો કલીકુંડ વિસ્તારમાં સરસ્વતી વિદ્યાલય પાસે અને મફલીપુર નજીક મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યા છે અને તેમની ઓળખ છતી કરવા માટે તપાસ હાથ ધરી છે.