પ્રહલાદ જોશી કેમ બન્યા નવા શિક્ષણમંત્રી?
પ્રહલાદ જોશી કેમ બન્યા નવા શિક્ષણમંત્રી?
Published on: 26th July, 2026

NEET-UG પરીક્ષા વિવાદ બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને નવા શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રહલાદ જોશી PM મોદીના વિશ્વસનીય 'સંકટ મોચક' ગણાય છે. તેમને સંવેદનશીલ મંત્રાલયોનો અનુભવ છે અને તેમની સંસદીય તથા વહીવટી કુશળતાને કારણે આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. તેઓ હાલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ નવીનીકરણીય ઉર્જા મંત્રાલય સંભાળી રહ્યા છે. મોદી સરકાર નવી શિક્ષણ નીતિ (NEP 2020)ના અમલીકરણ માટે અનુભવી અને વિશ્વસનીય નેતા ઈચ્છે છે.