દિનેશ મિલ ગરનાળું ઊભરાવાનો ભેદ ખુલ્યો
દિનેશ મિલ ગરનાળું ઊભરાવાનો ભેદ ખુલ્યો
Published on: 26th July, 2026

વડોદરા શહેરમાં એક સપ્તાહથી વરસાદી ગટર ચોકઅપ થતાં દિનેશ મિલ ગરનાળામાં ગંદા પાણી ભરાયા હતા. જેટિંગ મશીનથી સફાઈના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ, 900 એમએમ ડાયાની સંપૂર્ણ પાઈપ લાઈન બહાર કાઢી લેવામાં આવી છે. આ કામગીરીને કારણે હાલ પાણી ભરાવાની સમસ્યા બંધ થઈ ગઈ છે. ડ્રેનેજ પ્રોજેક્ટ અને ઝોન કચેરીની ટીમોએ તપાસ દરમિયાન વરસાદી પાણીના નિકાલની લાઈન સંપૂર્ણપણે ભરાયેલી જણાઈ હતી, જેમાં કાટમાળ, ઈંટો અને માટીનો જથ્થો જોવા મળ્યો હતો.