DCP રાજદીપસિંહ નકુમ કેમ સસ્પેન્ડ નથી?
DCP રાજદીપસિંહ નકુમ કેમ સસ્પેન્ડ નથી?
Published on: 26th July, 2026

સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમે હત્યાના પ્રયાસના આરોપીઓને જાહેરમાં માર માર્યા, જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈનનો સ્પષ્ટ ભંગ છે. ઉત્કર્ષ દવેની PIL પર હાઈકોર્ટે સુઓમોટો લીધો છે. પ્રશ્ન એ છે કે, બે મોટા વિવાદો છતાં સરકાર DCP નકુમને સસ્પેન્ડ કેમ કરતી નથી? શું હાઈકોર્ટના આદેશની રાહ જોવાઈ રહી છે? જાહેરમાં માર મારવો, આરોપીઓનો સરઘસ કાઢવો એ DCP નકુમના SOGના કામનો ભાગ નથી. ગુજરાતમાં અગાઉ પણ પોલીસ દ્વારા આવા કૃત્યો થયા છે, પરંતુ સરકારે ક્યારેય સક્રિય પગલાં લીધા નથી.