જૂનાગઢમાં 15 ઓગસ્ટની ઉજવણી માણાવદર ખાતે; 'હર ઘર તિરંગા' અભિયાનની તૈયારી, વહીવટી તંત્રની સમીક્ષા બેઠક.
જૂનાગઢમાં 15 ઓગસ્ટની ઉજવણી માણાવદર ખાતે; 'હર ઘર તિરંગા' અભિયાનની તૈયારી, વહીવટી તંત્રની સમીક્ષા બેઠક.
Published on: 05th August, 2025

જૂનાગઢ જિલ્લામાં 15મી ઓગસ્ટની ઉજવણી માણાવદર ખાતે આઈસ મિલ કંપાઉન્ડમાં થશે. કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને બેઠકમાં વ્યવસ્થાઓની ચર્ચા થઈ. બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પાણી, મેડિકલ અને ફાયર સેફ્ટીની સુવિધાઓ, પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન વગેરેની સમીક્ષા થઈ. 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થશે. કલેક્ટરે લોકોને આ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી.