ખાનપુરમાં NMEO યોજના હેઠળ તેલીબિયાં પાકોની ખેતી માટે ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન અપાયું.
ખાનપુરમાં NMEO યોજના હેઠળ તેલીબિયાં પાકોની ખેતી માટે ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન અપાયું.
Published on: 11th September, 2025

મહીસાગરના ખાનપુરમાં તેલીબિયાં પાકોની ખેતી માટે NMEO અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના ડોક્ટરોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. મદદનીશ ખેતી નિયામક અને વિસ્તરણ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા. ગુજકોમાસોલ ડેપોના વેલ્યુ ચેઈન પાર્ટનર અને ગ્રામસેવકોએ હાજરી આપી. નિષ્ણાતોએ કૃષિ યોજનાઓ, સોયાબીનની ખેતી અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માહિતી આપી. ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.