પાલીતાણા કેસરીયાજી નગરમાં ચાતુર્માસની ભવ્ય આરાધના: વિવિધ કાર્યક્રમોનું આયોજન.
Published on: 28th July, 2025

ભાવનગરના પાલીતાણા કેસરીયાજી નગરમાં આચાર્ય કુન્દકુન્દસૂરીજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસની ભવ્ય આરાધના થઈ રહી છે. દરરોજ ધાર્મિક કાર્યક્રમો, પ્રવચન અને તપસ્યાનું આયોજન છે. દર રવિવારે વિશેષ અનુષ્ઠાન થાય છે. ગુરૂપૂર્ણિમાએ ગુરૂપાદુકા પૂજન અને શત્રુંજય વંદનાવલીનો કાર્યક્રમ યોજાયો હતો. આજે રવિવારે સૂરિમંત્ર પૂજનનું આયોજન થયું હતું, જેમાં મંત્રોચ્ચાર દ્વારા દેવીઓની પૂજા કરવામાં આવી હતી. ભક્તો ભક્તિમાં લીન થયા હતા.