ખંભાળિયાના ચાર યુવાનો નેપાળમાં ફસાયા; કાઠમંડુની હોટલમાં સુરક્ષિત, આવતીકાલે ભારત આવશે.
ખંભાળિયાના ચાર યુવાનો નેપાળમાં ફસાયા; કાઠમંડુની હોટલમાં સુરક્ષિત, આવતીકાલે ભારત આવશે.
Published on: 11th September, 2025

દેવભૂમિ દ્વારકાના ચાર યુવાનો નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે તોફાન અને આગજનીના કારણે કાઠમંડુમાં ફસાયા છે. વડત્રાના રામદેભાઈ ચાવડા સહિત કેશોદ, વિરમદળ અને કલ્યાણપુરના યુવાનોનો સમાવેશ થાય છે. રામદેભાઈના જણાવ્યા અનુસાર તેઓ કાઠમંડુની હોટલમાં સુરક્ષિત છે પણ બહાર નીકળવાની પરિસ્થિતિ નથી. તેઓ 12 તારીખે flight દ્વારા ભારત પરત ફરશે. કલેકટર આર.એમ. તન્ના દ્વારા એરપોર્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરિસ્થિતિને કારણે પરિવારજનો ચિંતામાં છે.