બાયોમેટ્રિક સિસ્ટમમાં હાજરી પૂરતા અધ્યાપકો-કર્મચારીઓની સંખ્યા ઘટી 40 ટકા
બાયોમેટ્રિક સિસ્ટમમાં હાજરી પૂરતા અધ્યાપકો-કર્મચારીઓની સંખ્યા ઘટી 40 ટકા
Published on: 23rd August, 2026

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં લાગુ કરાયેલી બાયો મેટ્રિક સિસ્ટમનો ઉપયોગ હવે ઘટી રહ્યો છે. ૨૦૨૪માં લાખો રુપિયાના ખર્ચે વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે આ સિસ્ટમ શરૂ કરાવી હતી, જેમાં અધ્યાપકો અને કર્મચારીઓ માટે આઠ કલાકની ફરજિયાત હાજરીનો નિયમ હતો. તે સમયે અધ્યાપકોએ વિરોધ કર્યો હતો, પરંતુ તેને ધ્યાનમાં લેવાયો ન હતો. ડો. શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ, વર્તમાન વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે આ સિસ્ટમ પ્રત્યે ખાસ આગ્રહી ન હોવાથી, તેમાં હાજરી નોંધાવનારાઓની સંખ્યા ઘટીને માત્ર 40 ટકા રહી ગઈ છે.