લખનઉથી અમદાવાદમાં શંકાસ્પદ BP દવાઓ ઘૂસાડાઈ, 30 ફાર્મામાં તપાસ
લખનઉથી અમદાવાદમાં શંકાસ્પદ BP દવાઓ ઘૂસાડાઈ, 30 ફાર્મામાં તપાસ
Published on: 23rd August, 2026

અમદાવાદમાં શંકાસ્પદ દવાઓની સપ્લાય સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે. અમદાવાદ, નડિયાદ, ભાવનગર અને સુરત સહિતનાં શહેરોમાં 30થી વધુ મેડિકલ સ્ટોર અને ફાર્મા એજન્સીઓમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હાઈ બ્લડપ્રેશરની દવા નિકાર્ડિયા રિટાર્ડ-10ની 1250 શંકાસ્પદ ટેબ્લેટ જપ્ત કરાઈ છે. ઉપરાંત સિલાકાર સહિતની વિવિધ શંકાસ્પદ દવાઓનો અંદાજે રૂ.1.70 લાખનો જથ્થો પ્રતિબંધિત કરી તેના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. લખનઉની સેના ફાર્માસથી દવા અમદાવાદની પાર્શ્વ મેડિકલ એજન્સી ખાતે આવી હતી.