વાગડની માંજુવાસ પ્રાથમિક શાળાના 19માંથી 16 વિદ્યાર્થીઓ CET પરીક્ષામાં સફળ
વાગડની માંજુવાસ પ્રાથમિક શાળાના 19માંથી 16 વિદ્યાર્થીઓ CET પરીક્ષામાં સફળ
Published on: 13th March, 2026

માંજુવાસ પ્રાથમિક શાળામાં CET પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં સ્વ.અરજણભાઈ ડાંગરની યાદમાં ટ્રોફી અપાઈ. દાતા નાગદાનભાઈ ભચાભાઈ ડાંગર રહ્યા હતા. વાલીગણે ભોજન કરાવ્યું. આ વર્ષે 19માંથી 16 વિદ્યાર્થીઓ CETમાં પાસ થયા. આચાર્ય ભૂમિકાબેન પટેલના માર્ગદર્શનમાં શિક્ષકોએ વધારાના કલાકમાં CETની તૈયારી કરાવી. સરપંચે વિદ્યાર્થીઓને DIGITAL આઈ-કાર્ડ આપ્યા. દાતાઓએ ગણવેશ માટે રૂ.1.50 લાખ આપવાની જાહેરાત કરી.