બનાસકાંઠામાં મધરાતે ખાનગી બસ બની 'અગનગોળો
બનાસકાંઠામાં મધરાતે ખાનગી બસ બની 'અગનગોળો
Published on: 13th March, 2026

બનાસકાંઠાના ધાનેરા નજીક નેનાવા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે જેસલમેરથી અમદાવાદ જતી ખાનગી સ્લીપર બસમાં ભીષણ આગ લાગતા એક મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે. ચાલુ બસે આગ લાગતા મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો, જેમાં ૬થી વધુ મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. ધાનેરા અને સાંચોરના ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે.