અમરેલી આંગણવાડી નવીનીકરણ: 96 કેન્દ્રોમાં રંગબેરંગી ચિત્રો બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા.
અમરેલી આંગણવાડી નવીનીકરણ: 96 કેન્દ્રોમાં રંગબેરંગી ચિત્રો બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા.
Published on: 13th March, 2026

અમરેલી તાલુકામાં "આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ" અંતર્ગત 96 આંગણવાડી કેન્દ્રોમાં રંગરોગાન અને ચિત્રકામ કરવામાં આવ્યું. ₹8,500ની ગ્રાન્ટ હેઠળ 45 કેન્દ્રોમાં સમારકામ પૂર્ણ, જ્યારે 51 કેન્દ્રોમાં કામગીરી પ્રગતિમાં છે. ₹2 લાખની ગ્રાન્ટ હેઠળ 5 કેન્દ્રોમાં રીપેરીંગ પૂર્ણ. આ નવીનીકરણથી બાળકોને અક્ષરજ્ઞાન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં મદદ મળે છે, તથા સર્જનાત્મકતા વિકસે છે. આ ચિત્રો શૈક્ષણિક સામગ્રી તરીકે પણ ઉપયોગી છે.