માન્યા ડુક્કર સામે વધુ એક ખંડણીનો ગુનો
માન્યા ડુક્કર સામે વધુ એક ખંડણીનો ગુનો
Published on: 07th September, 2026

સુરતમાં ભાજપ કાર્યકર જય દલાલની હત્યા કેસમાં જેલમાં બંધ કુખ્યાત સાગર ઉર્ફે માન્યા ડુક્કર સામે ખંડણીનો વધુ એક ગુનો નોંધાયો છે. લિંબાયત પોલીસે બિલ્ડર પાસેથી ₹15 લાખની ખંડણી માગવા બદલ તેના સામે ફરિયાદ નોંધી છે. માન્યા તેના ત્રણ સાગરીતો સાથે બાંધકામ સાઈટ પર ધસી ગયો હતો, કામ બંધ કરાવ્યું અને બિલ્ડરની છાતી પર ચપ્પુ મૂકી ₹10,000 પડાવી લીધા હતા. આ ઘટના બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે.