મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં સુપરકાર રેસિંગ: લેમ્બોર્ગિની, BMW સહિતની કારો પર કેસ
મુંબઈ કોસ્ટલ રોડની ટનલમાં તેજ ગતિએ કાર ચલાવવા બદલ પોલીસે અડધો ડઝન ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કાળી લેમ્બોર્ગિની, પીળી BMW M2, લાલ BMW Z4 અને ફોક્સવેગન વર્ટસ જેવી કારો સામેલ છે. આ રેસિંગનો વીડિયો 3 સપ્ટેમ્બરની રાત્રે રેકોર્ડ થયો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી. ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281 અને 125 હેઠળ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને જોખમ ઊભું કરવાનો કેસ દાખલ થયો છે. હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં સુપરકાર રેસિંગ: લેમ્બોર્ગિની, BMW સહિતની કારો પર કેસ
ભારતીય સેના માટે ₹1.10 લાખ કરોડની ખરીદીને મંજૂરી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ DACએ સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવા ₹1.10 લાખ કરોડના ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આમાં 98% ખરીદી ભારતીય કંપનીઓ પાસેથી થશે, જે 'આત્મનિર્ભર ભારત'ને વેગ આપશે. સેના માટે CBRN રિકોનિસન્સ વાહનો, હાઇ મોબિલિટી વ્હીકલ્સ, મિકેનિકલ માઇન લેયર, ALH, ટ્રોલ ટેન્ક અને બ્રિજ સિસ્ટમ જેવી અત્યાધુનિક પ્રણાલીઓ ખરીદાશે. નૌકાદળ માટે અરુધ્રા રડાર અને મરીન ગેસ ટર્બાઇન, જ્યારે વાયુસેના માટે GBMPJ ખરીદાશે, જે દુશ્મનના રડારને નિષ્ક્રિય કરવામાં મદદ કરશે.
ભારતીય સેના માટે ₹1.10 લાખ કરોડની ખરીદીને મંજૂરી
સિંગર કિંજલ રબારીનો પોલીસને ખુલાસો: અપહરણ નહીં, પરિવારની બળજબરીનો આરોપ
સિંગર કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા PI ને પત્ર લખીને પોતાની બળજબરી અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, 2 મે, 2024ના રોજ અશોકભાઈ વાલાભાઈ ચૌધરી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ પરિવાર ન માનતા 10 મે, 2026ના રોજ ઘર છોડ્યું. પરિવાર દ્વારા બળજબરીથી છૂટાછેડાની અરજી અપાવી અને ગોંધી રાખી ગોતરકા ગામે મુકેશ દેસાઈ સાથે સોંપી દેવાયા. 6 સપ્ટેમ્બર, 2026ના રોજ પોતાની મરજીથી પતિ સાથે ગયા. કોઈ અપહરણ થયું નથી.
સિંગર કિંજલ રબારીનો પોલીસને ખુલાસો: અપહરણ નહીં, પરિવારની બળજબરીનો આરોપ
અમદાવાદના ઓઢવમાં મહિલાને બદનામ કરવા ચલણી નોટો સાથે ચિઠ્ઠી ફેંકનાર ઝડપાયો
અમદાવાદના ઓઢવમાં, એકતરફી પ્રેમમાં પાગલ રવિન્દ્ર પંચાલ નામના શખસે મહિલાને બદનામ કરવા અને તેના દાંપત્યજીવનમાં કંકાસ ઊભો કરવા માટે વિચિત્ર યોજના બનાવી. તેણે મહિલાનું નામ, મોબાઈલ નંબર અને અભદ્ર વિગતો લખેલી ચિઠ્ઠીઓ, 10, 20 અને 50 રૂપિયાની ચલણી નોટો સાથે જોડીને અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી. આ ચિઠ્ઠીઓ મેળવનાર લોકો મહિલાનો સંપર્ક કરતા, તેના પતિને શંકા ગઈ. ઓઢવ પોલીસે CCTV ફૂટેજ તપાસી આરોપીને ઝડપી પાડ્યો. આરોપીના ફેબ્રિકેશનના કારખાનામાંથી આવી વધુ ચિઠ્ઠીઓ અને નોટો મળી આવી છે.
અમદાવાદના ઓઢવમાં મહિલાને બદનામ કરવા ચલણી નોટો સાથે ચિઠ્ઠી ફેંકનાર ઝડપાયો
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં સુરત ટોપ-5માં!
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં લખનઉ પ્રથમ, ઇન્દોર દ્વિતીય અને જબલપુર તૃતીય સ્થાને છે. 10 લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોની કેટેગરી-Iમાં ગુજરાતનું સુરત પાંચમા ક્રમે છે, જ્યારે દિલ્હી 21મા અને મુંબઈ 28મા સ્થાને છે. રાયપુર છઠ્ઠા અને દુર્ગ-ભિલાઈ 17મા સ્થાને છે. કેટેગરી-II (3-10 લાખ વસતિ)માં રાઉરકેલા ટોચ પર છે. ફિરોઝાબાદ અને ગુંટૂર બીજા સ્થાને છે. મધ્યપ્રદેશના શહેરો પણ આ યાદીમાં સ્થાન ધરાવે છે.
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં સુરત ટોપ-5માં!
જામનગરમાં ખોટો વીડિયો વાયરલ કરનાર શખસે પોલીસ સમક્ષ માંગી માફી
જામનગર શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં દારૂ મળતો હોવાનો ખોટો વીડિયો વાયરલ કરનાર સદ્દામહુસૈન આદમભાઈ સુંભરાણીયા નામના શખ્સે પોલીસ સમક્ષ કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે વધુ પડતો દારૂ પીધેલી હાલતમાં આ પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા, જેમાં પોલીસ તંત્ર પર પણ નિરાધાર આરોપો લગાવ્યા હતા. પોલીસ કાર્યવાહી બાદ, તેના નવા વીડિયોમાં તેણે સ્પષ્ટ કર્યું કે શંકર ટેકરી વિસ્તારમાં દારૂ મળતો નથી અને તેણે પોલીસકર્મીઓ તેમજ તંત્રની છબી ખરડવા બદલ દિલથી માફી માંગી છે.
જામનગરમાં ખોટો વીડિયો વાયરલ કરનાર શખસે પોલીસ સમક્ષ માંગી માફી
અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌરનો જન્મદિવસ 'હેપ્પી બર્થડે મારી જાન' કહી ખાસ રીતે ઉજવ્યો.
ભારતીય ક્રિકેટર અર્શદીપ સિંહે તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સમરીન કૌરના 27મા જન્મદિવસની ઉજવણી ખાસ અંદાજમાં કરી. અર્શદીપે ઈન્સ્ટાગ્રામ પર સમરીન સાથેની ક્યુટ, રોમેન્ટિક અને મસ્તીભરી તસવીરો શેર કરીને પ્રેમ વ્યક્ત કર્યો. આ તસવીરોમાં બંનેની કેમિસ્ટ્રી સ્પષ્ટ જોવા મળી રહી છે. સમરીન એક પ્રોફેશનલ મોડેલ, એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તાજેતરમાં બંનેએ એકબીજાના નામનું Tattoo પણ કરાવ્યું છે.
અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌરનો જન્મદિવસ 'હેપ્પી બર્થડે મારી જાન' કહી ખાસ રીતે ઉજવ્યો.
તિથલ સરપંચ પર ભ્રષ્ટાચારના આરોપો: તાલુકા પંચાયતની તપાસ
વલસાડના તિથલ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશ પટેલ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો બાદ તાલુકા પંચાયતની તપાસ ટીમે ગ્રામ પંચાયતના રેકોર્ડ્સની વિગતવાર તપાસ કરી. તપાસ બાદ સરપંચ પટેલે પત્રકાર પરિષદ યોજી આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા અને રાજકીય અદાવતથી પ્રેરાયેલા ગણાવ્યા. તેમણે જણાવ્યું કે, તપાસનો સત્તાવાર અહેવાલ આવ્યા બાદ નિર્દોષ સાબિત થતાં જ, ખોટા આક્ષેપો કરનારાઓ સામે માનહાનિનો દાવો કરશે. ગામના વિકાસ અને પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
તિથલ સરપંચ પર ભ્રષ્ટાચારના આરોપો: તાલુકા પંચાયતની તપાસ
મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરો ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ટંકારા પોલીસને મળેલી બાતમીના આધારે મોરબી-રાજકોટ હાઈવે પર નાકાબંધી દરમિયાન એક બોલેરો કેમ્પર ગાડીમાંથી વિદેશી દારૂના 1248 ચપલા મળી આવ્યા છે. આ દારૂ ગાડીની સીટ, ઠાઠા અને ટોપમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસે કુલ 6,33,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ, ગાડી અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસે દશરથભાઈ અને બાબુરામ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમની પૂછપરછમાં મહેન્દ્રભાઈ રબારી નામનો વધુ એક આરોપી સામે આવ્યો છે. પોલીસે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરો ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
દિલ્હી PG દુર્ઘટના: અર્પિત પરિવારે દીકરાની આંખો દાન કરી
દિલ્હીના સત્ય નિકેતનમાં PG બિલ્ડિંગ ધરાશાયી થતાં 18 વર્ષીય અર્પિત જયનું મૃત્યુ થયું. તેના પરિવારે તેની આંખોનું દાન કર્યું, જ્યારે તેના પિતાએ કહ્યું કે જો તેઓ જાણતા હોત કે PGની સ્થિતિ કેટલી ખરાબ છે, તો તેઓ દીકરાને ત્યાં રહેવા દેત નહીં. આ દુર્ઘટનામાં DUના PGDAV કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થી અક્ષત સિંહ યાદવ સહિત કુલ 7 લોકોના મોત થયા છે. અક્ષતના પરિવારે પણ દુ:ખ વ્યક્ત કર્યું અને પ્રશાસન પર સુરક્ષાની ખાતરી કરવા પ્રશ્ન ઉઠાવ્યો.
દિલ્હી PG દુર્ઘટના: અર્પિત પરિવારે દીકરાની આંખો દાન કરી
દિલ્હીમાં ઘોંઘાટનો વિરોધ કરનારા મણિપુરના નિવૃત્ત મ્યુઝિક ટીચરની હત્યા
દિલ્હીના કિલોકરી ગામમાં ઘોંઘાટનો વિરોધ કરવા બદલ મણિપુરના 54 વર્ષીય નિવૃત્ત મ્યુઝિક ટીચર ચોંગથમ વિક્રમ સિંહની ઢોર માર મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના 7 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે તેઓ ઘરની બહાર અશાંતિનો વિરોધ કરવા પહોંચ્યા હતા. બોલાચાલી બાદ છ લોકોએ ભેગા મળીને તેમના પર હુમલો કર્યો, જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું. પોલીસે આ ઘટનામાં 6 આરોપીઓની અટકાયત કરી છે, જેમાં કેટલાક સગીરો પણ સામેલ છે. નોર્થ ઈસ્ટના લોકોએ આ ઘટનાને Racial attack ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.
દિલ્હીમાં ઘોંઘાટનો વિરોધ કરનારા મણિપુરના નિવૃત્ત મ્યુઝિક ટીચરની હત્યા
PM મોદી ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસે: રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને મહારાષ્ટ્રના મહત્વપૂર્ણ પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા ખાતેથી રૂ.35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોની આધારશિલા મૂકશે અને તેને દેશને સમર્પિત કરશે. મુંબઈમાં તેઓ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમોમાં પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના નવા સેક્શનનું રાષ્ટ્રને સમર્પણ, આદિવાસી વિસ્તારો માટે નવી રેલવે સેવા અને લાઇનનું લોકાર્પણ, તેમજ રેલવે અને હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ સામેલ છે.
PM મોદી ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસે: રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
દેરાસર જીર્ણોદ્ધાર ફાઇલ ક્લિયર કરવા 1.35 લાખ પડાવ્યા
કડીના કેવિન શાહ, જે આણંદજી કલ્યાણજી પેઢીમાં નોકરી કરતો હતો, તેણે દેરાસર ગ્રાન્ટ અરજીઓની ફાઇલ ક્લિયર કરવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા. મહેસાણાના શાંતિનાથ ટ્રસ્ટની રૂ. 72 લાખની મંજૂર થયેલી ગ્રાન્ટની બાકી રકમ માટે તેણે મુંબઈના વિનોદભાઈ શાહ મારફતે રૂ. 1 લાખ આંગડિયા દ્વારા મેળવ્યા. વધુમાં, એમ.પી.ના કુકલાહ જૈન સંઘ પાસેથી સાત મહિના સુધી દર મહિને રૂ. 5 હજાર એમ કુલ રૂ. 35 હજાર પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા. આંગડિયા પેઢીની કાઉન્ટર સ્લિપ વ્હોટ્સએપ પર મળતાં ટ્રસ્ટીઓને આ ભાંડાની જાણ થઈ અને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
દેરાસર જીર્ણોદ્ધાર ફાઇલ ક્લિયર કરવા 1.35 લાખ પડાવ્યા
દિલ્હીમાં ગેરકાયદેસર પાંચમા માળની ઇમારતો થશે સીલ
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થવાથી છ લોકોના મોત બાદ, સરકારે એક મોટો નિર્દેશ જારી કર્યો છે. મુખ્યમંત્રીએ મંજૂરી વિના પાંચમા માળનું બાંધકામ ધરાવતી તમામ ઇમારતોને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સત્ય નિકેતન અને આસપાસના વિસ્તારોમાં પીજી રહેઠાણો અને અન્ય ઇમારતોનું વ્યાપક નિરીક્ષણ કરવામાં આવશે.
દિલ્હીમાં ગેરકાયદેસર પાંચમા માળની ઇમારતો થશે સીલ
UN નકશા વિવાદ: કાશ્મીર પર ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ખટરાગ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 'ઈક્વલ અર્થ મેપ' પ્રક્ષેપણને મંજૂરી આપી છે, જે વિશ્વના દેશોના ક્ષેત્રફળનું સચોટ પ્રતિનિધિત્વ કરે છે. ભારતે આ ઠરાવને ટેકો આપ્યો છે, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ ચોક્કસ નકશા પ્રક્ષેપણના સમર્થનમાં નથી અને ભારતના સાર્વભૌમ પ્રદેશ, જેમાં જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખનો સમાવેશ થાય છે, તે યથાવત છે. બીજી તરફ, પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરને વિવાદિત પ્રદેશ ગણાવીને પોતાનું જૂનું રટણ જાળવી રાખ્યું છે. આ નવો નકશો કોઈ દેશની રાજકીય સીમાઓ કે પ્રાદેશિક દાવાઓને બદલતો નથી.
UN નકશા વિવાદ: કાશ્મીર પર ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ખટરાગ
સુરેન્દ્રનગરના સાયલામાં નિર્દોષને ફસાવવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એનડીપીએસ (NDPS) ગુનામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. અંગત રાગદ્વેષના કારણે નિર્દોષ વ્યક્તિને ફસાવવા માટે તેની વાડીમાં ગાંજાનો જથ્થો પ્લાન્ટ કરાયો હતો. પોલીસે આ કેસમાં 'સી-સમરી' (C-Summary) ભરી નિર્દોષ વ્યક્તિને જેલમુક્ત કર્યો છે. સાથે જ, ષડયંત્ર રચનાર બે ઈસમો, અરજણ ભુવા અને દેવજી મીર,ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત બની છે.
સુરેન્દ્રનગરના સાયલામાં નિર્દોષને ફસાવવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
દિલીપ ટ્રોફીમાં ઈશાન કિશનની ૨૫૦ રનની બેવડી સદી
દિલીપ ટ્રોફી ફાઇનલમાં ઇસ્ટ ઝોનના કેપ્ટન ઇશાન કિશને સાઉથ ઝોન સામે 270 બોલમાં 250 રનની અણનમ ઇનિંગ રમી. ચેન્નઈની ગરમીમાં આ શાનદાર પ્રદર્શન બાદ રિટાયર્ડ હર્ટ થયા. તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, "મને તારા પર ખૂબ ગર્વ છે ઇશુ." તેણે ઇશાનના સંઘર્ષ અને હિંમતની પ્રશંસા કરી. કુમાર કુશાગ્રએ પણ 101 રન બનાવ્યા. મોહમ્મદ સિરાજને આ મેચમાં હજુ સુધી એક પણ વિકેટ મળી નથી.
દિલીપ ટ્રોફીમાં ઈશાન કિશનની ૨૫૦ રનની બેવડી સદી
ISRO ખાનગીકરણ થયું નથી, સરકારી સંસ્થા છે: ચેરમેન નારાયણ
ISRO ચેરમેન વી. નારાયણને સ્પષ્ટતા કરી છે કે ISRO એક સરકારી સંસ્થા છે અને તેનું ખાનગીકરણ થયું નથી. તેમણે કર્મચારીઓની ચિંતાઓને વાજબી ગણાવીને તેના સમાધાનની ખાતરી આપી. બેંગલુરુ સ્પેસ એક્સપો (BSX)માં તેમણે જણાવ્યું કે દેશના વધતા અંતરિક્ષ કાર્યક્રમ માટે દર વર્ષે લગભગ 50 લોન્ચ વ્હીકલની જરૂર છે. ISRO દેશમાં સ્પેસ ઇકોનોમી અને ઇકોસિસ્ટમને વિસ્તારવા માટે ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે સહયોગ કરી રહ્યું છે.
ISRO ખાનગીકરણ થયું નથી, સરકારી સંસ્થા છે: ચેરમેન નારાયણ
દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના પર હાઇકોર્ટ લાલઘૂમ
દિલ્હી સત્ય નિકેતન PG Collapse દુર્ઘટનામાં 7 વિદ્યાર્થીઓના મોત બાદ દિલ્હી હાઇકોર્ટ લાલઘૂમ થઈ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ દુર્ઘટના માટે માત્ર બિલ્ડિંગનો માલિક જ નહીં, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પણ એટલું જ જવાબદાર છે. કોર્ટે MCD, દિલ્હી સરકાર અને દિલ્હી યુનિવર્સિટીને નોટિસ પાઠવી છે અને સમગ્ર દિલ્હીમાં PG હોસ્ટેલોનું તાત્કાલિક ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. ગેરકાયદે બાંધકામ અને પૂરતી હોસ્ટેલ સુવિધાઓના અભાવ પર પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી.
દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના પર હાઇકોર્ટ લાલઘૂમ
નોર્થ બોપલમાં 3 સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરી
અમદાવાદના નોર્થ બોપલ વિસ્તારમાં 6 સપ્ટેમ્બરની મોડી રાત્રે 'ચડ્ડી બનીયાનધારી ગેંગ' દ્વારા 3 સોસાયટીઓને નિશાન બનાવી ચોરી કરવામાં આવી છે. આ ગેંગે ગાર્ડન પેરેડાઈઝ સોસાયટીના 8 બ્લોકના બંધ મકાનોમાં પ્રવેશ કરી ₹15 હજાર રોકડ સહિત કિંમતી સામાનની ચોરી કરી હતી. આ ઉપરાંત, નીલકંઠ બંગ્લોઝ અને સન ઓપ્ટીમા સોસાયટીમાં પણ ચોરી કરવામાં આવી. સીસીટીવી ફૂટેજમાં 3 શખ્સો દેખાયા છે. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોર્થ બોપલમાં 3 સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરી
થલતેજ મેટ્રો સ્ટેશન પાસે ડમ્પર હેઠળ 12 વર્ષની બાળકી કચડાઈ
અમદાવાદના થલતેજ ચાર રસ્તા પર મેટ્રો સ્ટેશન નીચે બેફામ દોડી રહેલા ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતા 12 વર્ષની બાળકીનું માતાની નજર સામે જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં બાળકીએ દમ તોડી દીધો. પોલીસે ભાગી રહેલા ડમ્પર ચાલકને અટકાયત કરી ડમ્પર જપ્ત કર્યું. તપાસમાં સામે આવ્યું કે આ જ ડમ્પર અગાઉ પણ નિર્દોષ લોકોના મોતનું કારણ બન્યું હતું. પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
થલતેજ મેટ્રો સ્ટેશન પાસે ડમ્પર હેઠળ 12 વર્ષની બાળકી કચડાઈ
પ્રેમિકાને પામવા પતિની ઘાતકી હત્યા: મૃતદેહના ટુકડા કરી તળાવમાં ફેંક્યો
પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં પ્રેમસંબંધના કારણે એક વ્યક્તિની ઘાતકી હત્યાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 31 ઓગસ્ટે ગુમ થયેલા 43 વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની હત્યા તેમના પત્નીના પ્રેમી દિનેશ રાયધણભાઈ ઠાકોરે કરી હતી. દોઢ વર્ષથી ચાલી રહેલા પ્રેમસંબંધને કારણે દિનેશે લખ્ખુભાઈને બોલાવી લોખંડના રોડથી મારી નાખ્યા હતા. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહના બે ટુકડા કરી પ્લાસ્ટિકના કોથળામાં ભરી ગામના તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.
પ્રેમિકાને પામવા પતિની ઘાતકી હત્યા: મૃતદેહના ટુકડા કરી તળાવમાં ફેંક્યો
કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુર PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણી બન્યું
અમદાવાદના CBD મોલમાંથી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણની ઘટનાએ પાટણ જિલ્લામાં ખળભળાટ મચાવ્યો છે. આ મામલે સિનાડ ગામમાં શાંતિ જાળવવા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે. બંદોબસ્ત દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થતાં ઉશ્કેરાયેલા ટોળાએ રાધનપુરના PSI એચ.વી. ચૌધરી પર હુમલો કર્યો, જેમાં PSIને ઈજા પહોંચી. આ ઘટના બાદ સિનાડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.
કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુર PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણી બન્યું
વટવામાં યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું
અમદાવાદના વટવામાં ૨૦ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું. આરોપી અર્શ ઇરશાદ રંગરેઝ અન્ય જગ્યાએ સગાઈ અને લગ્ન નક્કી હોવા છતાં 'હું તારી સાથે જ બીજા લગ્ન કરીશ' તેવી લાલચ આપી સંબંધ રાખવા મજબૂર કરતો હતો. ત્રણ વર્ષ પહેલાં Instagram મારફતે પરિચય થયો હતો. પિતાએ દીકરીનું Instagram ચેક કરતાં ચેટ મળી આવતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. પરિવારે લગ્નનો પ્રયાસ કરતાં આરોપીના પરિવારે સ્પષ્ટ ઇનકાર કરતાં યુવતીની ફરિયાદ પર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ.
વટવામાં યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં સાળા-બનેવીનું મોત
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કટારિયા ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસનું ટાયર ફાટતાં રોંગ સાઈડમાં ઘૂસી જવાથી એક ટ્રેલર અને બસ વચ્ચે કાર પીસાઈ હતી. જંબુસરથી દ્વારકા દર્શને જઈ રહેલા પરિવારની કાર આ ઘટનાનો ભોગ બની હતી. આ ભીષણ ટક્કરમાં કારમાં પાછળ બેઠેલા સાળા અને બનેવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં આગળ બેઠેલા અન્ય સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને લીંબડી હોસ્પિટલ ખસેડાયા છે.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં સાળા-બનેવીનું મોત
નવસારી: બારડોલી રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ
નવસારીના બારડોલી રોડ પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં વિસ્તારમાં ચિંતા પ્રસરી ગઈ હતી. ગોડાઉનમાં રહેલ પ્લાસ્ટિક, કાગળ અને અન્ય જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના પરિણામે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. સ્થાનિકોએ તુરંત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. નવસારી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી. આસપાસના વિસ્તારોમાં આગ ન ફેલાય તે માટે સાવચેતી રાખવામાં આવી રહી છે. આગનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ જાનહાનિ થઈ નથી.
નવસારી: બારડોલી રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ
રાજકોટ રેલવે સ્ટેશન પરથી 18 કિલો ગાંજો જપ્ત
રાજકોટમાં નશીલા પદાર્થોનું નેટવર્ક તોડવા રેલવે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી 18.467 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો ઝડપાયો, જેની કિંમત ₹9.41 લાખ છે. બાતમીના આધારે કરાયેલા દરોડામાં છત્તીસગઢના કર્મવીર પાટિલ નામના તસ્કરને ઝડપી પાડ્યો, જ્યારે ઉત્તર પ્રદેશનો સાગરીત હર્ષસિંહ ફરાર થયો. બંને અન્ય રાજ્યોમાંથી ટ્રેન દ્વારા ડ્રગ્સની હેરાફેરીમાં સક્રિય હોવાની શંકા છે. ગાંજાનો આ જથ્થો કોને સપ્લાય થવાનો હતો તેની પૂછપરછ અને ફરાર આરોપીને ઝડપી પાડવા પ્રયાસો ચાલુ છે.
રાજકોટ રેલવે સ્ટેશન પરથી 18 કિલો ગાંજો જપ્ત
નેપાળ પૂર હોનારતમાં ગુમ ભારતીયોની DNAથી ઓળખ થશે
નેપાળમાં આવેલી ભયાનક પૂર અને હોનારતમાં ગુમ થયેલા ભારતીય નાગરિકોની ઓળખ માટે હવે DNA પ્રોફાઇલિંગનો ઉપયોગ કરાશે. ભારત સરકારના સૂચનો મુજબ, ગુમ થયેલાઓના પ્રથમ-ડિગ્રીના જૈવિક સંબંધીઓના DNA સેમ્પલ લઈને ફોરેન્સિક લેબોરેટરીઝ દ્વારા પ્રોફાઇલ તૈયાર કરાશે. આ પ્રક્રિયા મૃતદેહોની ચોક્કસ ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. ગાંધીનગરના ગુમ થયેલા નાગરિકોના પરિવારો માટે ખાસ હેલ્પલાઈન જાહેર કરાઈ છે. નેપાળમાં ભારતીય એમ્બેસી, કાઠમંડુનો હેલ્પલાઈન નંબર +977 9841 6160 95 છે, અને ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમના નંબર 079-23251900 અને 99784 05304 પર પણ સંપર્ક કરી શકાય છે.
નેપાળ પૂર હોનારતમાં ગુમ ભારતીયોની DNAથી ઓળખ થશે
જામનગર બેંક લોકરમાંથી સોનાના દાગીનાની ચોરી
જામનગર શહેરની ઇન્ડિયન (અલ્હાબાદ) બેંકના લોકરમાંથી અસલી સોનાના દાગીના ચોરી તેની જગ્યાએ નકલી મૂકવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બેંકના પટાવાળા હસમુખ દિનેશભાઈ પારીયા અને તેના સાગરીત વિજય આલાભાઈ વઘોરાને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી ₹43.16 લાખનો મુદ્દામાલ, જેમાં 347.09 ગ્રામ સોનાના દાગીના, રોકડ અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે, તે રિકવર કર્યો છે. વિજય વઘોરા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. અન્ય એક આરોપી રમેશ ભીમજીભાઈ પારીયાની શોધખોળ ચાલુ છે.
જામનગર બેંક લોકરમાંથી સોનાના દાગીનાની ચોરી
માન્યા ડુક્કર સામે વધુ એક ખંડણીનો ગુનો
સુરતમાં ભાજપ કાર્યકર જય દલાલની હત્યા કેસમાં જેલમાં બંધ કુખ્યાત સાગર ઉર્ફે માન્યા ડુક્કર સામે ખંડણીનો વધુ એક ગુનો નોંધાયો છે. લિંબાયત પોલીસે બિલ્ડર પાસેથી ₹15 લાખની ખંડણી માગવા બદલ તેના સામે ફરિયાદ નોંધી છે. માન્યા તેના ત્રણ સાગરીતો સાથે બાંધકામ સાઈટ પર ધસી ગયો હતો, કામ બંધ કરાવ્યું અને બિલ્ડરની છાતી પર ચપ્પુ મૂકી ₹10,000 પડાવી લીધા હતા. આ ઘટના બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે.
માન્યા ડુક્કર સામે વધુ એક ખંડણીનો ગુનો
LPG બુકિંગમાં સમાન સમયગાળો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
કેન્દ્ર સરકારે ઘરેલું LPG ગ્રાહકો માટે રિફિલ બુકિંગનો સમયગાળો શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સમાન કરી દીધો છે. હવે તમામ ગ્રાહકો 25 દિવસના અંતરાલ પર LPG રિફિલ બુક કરી શકશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને આ ફેરફાર તાત્કાલિક લાગુ કરવા આદેશ અપાયો છે. મિડલ ઇસ્ટ સંઘર્ષને કારણે અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસનો સમયગાળો હતો. સપ્લાય સ્થિતિ સુધર્યા બાદ આ પ્રતિબંધ હટાવી દેવાયો છે.