અમદાવાદમાં વરસાદી માહોલમાં ફાયરિંગ, નિવૃત્ત જવાનો વચ્ચે મકાન વિવાદ બન્યો હિંસક
અમદાવાદમાં વરસાદી માહોલમાં ફાયરિંગ, નિવૃત્ત જવાનો વચ્ચે મકાન વિવાદ બન્યો હિંસક
Published on: 14th September, 2026

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મકાનના વિવાદને ઉકેલવા બોલાવાયેલી બેઠક દરમિયાન ફાયરિંગની ઘટના બની. પ્રજાપતિ પરિવારના ભાઈઓ અને સંબંધિતો સમાધાન માટે ભેગા થયા હતા, ત્યારે બોલાચાલી વધી અને પ્રમોદ નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું. એક ભાઈને જાંઘ પર ગોળી વાગતાં ઈજા થઈ. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા. JCP મુજબ, હાલત ગંભીર નથી. રામોલ પોલીસે આરોપી અને અન્ય હથિયારધારીઓને ઝડપી પૂછપરછ હાથ ધરી છે.