ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલશે: સફાઈ ઝુંબેશો યોજાશે.
ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલશે: સફાઈ ઝુંબેશો યોજાશે.
Published on: 11th September, 2025

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત, ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને "સ્વચ્છતા હી સેવા 2025" અભિયાન 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી લંબાવ્યું છે. રાજ્યના શહેરો, ગામડાઓ, અને સરકારી કચેરીઓમાં સફાઈ ઝુંબેશ ચાલશે, જેમાં CTU સફાઈ અને અઠવાડિક થીમ આધારિત વિશેષ પ્રવૃત્તિઓ થશે.