થરાદ શહેરમાં ભારે વરસાદથી જળબંબાકાર, મુખ્ય માર્ગ બંધ થતાં જનજીવન ઠપ્પ, થરાદ જાણે તળાવમાં ફેરવાયું.
થરાદ શહેરમાં ભારે વરસાદથી જળબંબાકાર, મુખ્ય માર્ગ બંધ થતાં જનજીવન ઠપ્પ, થરાદ જાણે તળાવમાં ફેરવાયું.
Published on: 09th September, 2025

બનાસકાંઠાના થરાદ શહેરમાં 48 કલાકથી ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો છે. મુખ્ય માર્ગ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. આશરે એક કિલોમીટર સુધી પાણી ભરાતાં થરાદ તળાવમાં ફેરવાયું છે. દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન થયું છે અને ધંધો ઠપ્પ થયો છે. શાળા-કોલેજો બંધ છે અને લોકો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા પાણી નિકાલના પ્રયાસો ચાલુ છે.