Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
ભારતીય તટરક્ષક દિન
ભારતીય તટરક્ષક દિન

આપણા દેશમાં દર વર્ષે 1 ફેબ્રુઆરી ના રોજ ભારતીય તટરક્ષક દિન ઉજવવામાં આવે છે. ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ કરવામાં આવી હતી. આ દિવસને ભારતીય તટરક્ષક દળની મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષા માટેના તેમના પ્રયાસોને યાદ કરી સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ રાષ્ટ્રીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે દેશના રક્ષણમાં આ દળના અદ્દભુત યોગદાન વિશે લોકોને જાગૃત કરવાનો પણ છે. ભારતીય તટરક્ષક દળ વિશ્વનું ચોથું સૌથી મોટું દળ છે. તે સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરી સુધીની જવાબદારી આ દળ સંભાળે છે. વચગાળાના ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ કરવામાં આવી હતી અને 18 ઑગસ્ટ, 1978 ના રોજ કોસ્ટગાર્ડ એક્ટ, 1978 દ્વારા સંસદમાં સ્વતંત્ર સશસ્ત્ર દળ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી. 19 ઑગસ્ટ, 1978 ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભારતીય તટરક્ષક દળનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય તટરક્ષક દળનું મુખ્ય મથક નવી દિલ્હી માં આવેલું છે. તેની એક પ્રાદેશિક કચેરી ગુજરાતમાં ગાંધીનગર ખાતે પણ આવેલી છે. ભારતીય તટરક્ષક દળનું સૂત્ર “वयम्र रक्षामः” છે. તેનો અર્થ થાય છે 'અમે રક્ષા કરીએ છીએ'. ભારતીય તટરક્ષક દળના મુખ્ય કાર્યોમાં દ્વીપો અને તટીય સ્ટેશનોનું રક્ષણ, ઑફશોર સ્ટેશનોનું રક્ષણ, માછીમારોનું રક્ષણ, દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ, દાણચોરી વિરોધી કામગીરીમાં કસ્ટમ્સ વિભાગ અને અન્ય સત્તાવાળાઓને સહાય દરિયાઈ કાયદાનો અમલ, વૈજ્ઞાનિક ડેટાનો સંગ્રહ, યુદ્ધ દરમિયાન નૌકાદળની મદદ કરવી વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય તટરક્ષક દળ ભારતના દરિયાકાંઠાની રક્ષા માટે સદાય જાગૃત રહે છે. ભારતીય તટરક્ષક દળ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ, મત્સ્યોદ્યોગ વિભાગ, મહેસૂલ વિભાગ, કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળો સાથે મળીને કામ કરે છે. તેની સ્થાપના બિન-લશ્કરી દરિયાઈ સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી છે તેથી તેને કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી સ્વતંત્ર રીતે કરવાની થતી નથી. આ દળનાં જહાજો ભારતીય નૌકાદળના જહાજોથી અલગ જોવા મળે છે. આમ, આ દળ ઘણાં મહત્વનાં કાર્યો કરે છે.

01st February

Read more
ભારતીય તટરક્ષક દિન
01st February
આપણા દેશમાં દર વર્ષે 1 ફેબ્રુઆરી ના રોજ ભારતીય તટરક્ષક દિન ઉજવવામાં આવે છે. ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ કરવામાં આવી હતી. આ દિવસને ભારતીય તટરક્ષક દળની મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષા માટેના તેમના પ્રયાસોને યાદ કરી સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ રાષ્ટ્રીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે દેશના રક્ષણમાં આ દળના અદ્દભુત યોગદાન વિશે લોકોને જાગૃત કરવાનો પણ છે.
ભારતીય તટરક્ષક દળ વિશ્વનું ચોથું સૌથી મોટું દળ છે. તે સંરક્ષણ મંત્રાલય હેઠળ...
Read more
મિરઝા ગાલીબ પુણ્યતિથિ
મિરઝા ગાલીબ પુણ્યતિથિ

મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ - ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદ-ઉલ્લાહ બેગ ખાન 'ગાલીબ' હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ ના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ શાયરીનો શોખ હતો. ગાલીબ ૧૨ કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં. તેમણે એવા અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન રહી જાય. ગાલીબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ગાલીબ બિનસાંપ્રદાયિક હતા. પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા. કોઇ કવિતા કે ગઝલને સમજવી હોય તો સર્વ પ્રથમ તેના રચનાકારને સમજવો પડે. 'મિરઝા ગાલીબ' ની ગઝલોને સમજવાની લોકો એટલા માટે જ ભૂલ કરે છે કે તેઓ 'ગાલીબ' ના જીવનથી બહુ પરિચિત નથી હોતા. ગાલીબ જે રીતે તેમના સમયના તમામ ગઝલકારોથી નોખા તરી આવતા હતા તે રીતે તેમનું જીવન પણ સામાન્ય માણસ કરતા તદ્દન નોખું હતું. એટલે જ 'ગાલીબ'ની ગઝલોનો અંદાજ પણ અલગ હતો. ગાલીબના જીવને દરેક તબક્કે અલગ વળાંક લીધો હતો અને તેની સમગ્ર અસર તેમની રચનાઓ પર જોવા મળી છે . તેઓ પરંપરામાથી મુક્ત થઇને આધુનિક જીવન શૈલી તરફ જવા માંગતા હતા અને તેનો સંઘર્ષ પણ તેમની રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓમાં મુખ્ય વિષયો પ્રેમ અને આધ્યાત્મ રહ્યા હતા. ઉર્દૂમાં તેઓએ આશરે ૨૩૫ જેટલી ગઝલો લખી છે. તેમને દબીર-ઉલ-મુલ્ક અને નઝમ-ઉદ-દૌલાનું બિરુદ મળ્યું હતું. ૧૫ ફેબ્રુઆરી,૧૮૬૯ ના રોજ તેમનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. ૧૯૬૯માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની મૃત્યુ શતાબ્દીના અવસર પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ૨૭ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે તેમની ૨૨૦મી જન્મ તિથી નિમિત્તે ગુગલે તેમને ગુગલ ડુડલ સ્વરૂપે યાદ કર્યા હતા.

15th February

Read more
મિરઝા ગાલીબ પુણ્યતિથિ
15th February

મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ - ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદ-ઉલ્લાહ બેગ ખાન 'ગાલીબ' હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ ના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ શાયરીનો શોખ હતો. ગાલીબ ૧૨ કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં. તેમણે એવા અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન રહી જાય. ગાલીબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ગાલીબ બિનસાંપ્રદાયિક હતા. પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા.

કોઇ કવિતા કે ગઝલને સમજવી...

Read more
મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિ

     ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ.     પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા એવું નક્કી થયું. ભગવાન શિવ નિર્ણાયક હતા. શિવલિંગ તેનું સ્વરૂપ હતું. ઘણી મહેનત પછી શિવલિંગનું માપ આદિ-અંત નક્કી કરી શકાયું નહીં. છેવટે બ્રહ્મા-વિષ્ણુએ સ્વીકાર્યું કે ભગવાન શિવ જ મોટા છે. બધા દેવોમાં પણ શિવ ‘મહાદેવ’ કહેવાયા.     મહાશિવરાત્રિ માં શિવલિંગની પૂજા શ્રેષ્ઠ મનાય છે, કારણકે શિવલિંગની પૂજા કરવાથી શિવ અને શક્તિ બંનેની પૂજા એક સાથે થઈ જાય છે. શિવરાત્રિ ના વ્રતની કથા શિવપુરાણમાં રુદ્રસંહિતા અંતર્ગત અધ્યાય 37માં વર્ણવેલી છે. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર મહાશિવરાત્રિ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એક સમયની વાત છે: એક શિકારી શિકાર માટે જંગલમાં ગયો. જંગલની મધ્યમાં એક બિલીનું વૃક્ષ હતું તેની નીચે શિવલિંગ સ્થાપિત હતું. શિકારી શિકારની વાટ જોતાં જોતાં અજાણતા બીલીનાં પાન તોડી તોડીને નીચે સ્થાપિત શિવલિંગ પર નાખી રહ્યો હતો અને આ ક્રિયા સતત ચાર પ્રહર સુધી ચાલુ રહી. આમ, અજાણતાં જ શિકારીથી રાત્રિના ચાર પ્રહર સુધી શિવલિંગની પૂજા થઈ તેથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા. આ રીતે શિવરાત્રિ ની પૂજા ચાર પ્રહરની પૂજા ગણવામાં આવે છે.     બીજી માન્યતા અનુસાર દરેક મનુષ્યના જીવનમાં ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહર શિવપૂજન કરવાથી મનુષ્યના આ ચાર પુરુષાર્થ સિદ્ધ થાય છે.     મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવના મંદિર પાસે ગિરનારની તળેટીમાં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં દેશના વિવિધ સંપ્રદાયના સાધુઓ અને દિગંબર સાધુઓ આવે છે. આ દિવસે નીકળતા નાગાબાવાઓનુ સરઘસ કે રવાડીમાં હથિયારોના વિવિધ દાવ અને કરતબ પણ દેખાડવામાં આવે છે. આ મેળાનું સમાપન નાગાબાવાઓ સહિત સાધુ સંતોના મૃગીકુંડમાં સ્નાનથી થાય છે. આ સિવાય પણ ગુજરાતમાં ઘણાં શિવાલયોની આસપાસ મેળાનું આયોજન થતું હોય છે.

15th February

Read more
મહાશિવરાત્રિ
15th February

     ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ.
     પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા એવું નક્કી થયું. ભગવાન શિવ નિર્ણાયક હતા. શિવલિંગ તેનું...

Read more
રામકૃષ્ણ પરમહંસ જયંતી
રામકૃષ્ણ પરમહંસ જયંતી

અંગ્રેજોના શાસનની સાથે ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા અને વિદેશી ધર્મનું આક્રમણ શરૂ થયું હતું. આવી કટોકટીના સમય દરમિયાન 18 ફેબ્રુઆરી, 1836 ના રોજ બંગાળ પ્રાંતમાં આવેલા કામારપુકુર ગામમાં રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. રામકૃષ્ણ પરમહંસ ભારતના પ્રખ્યાત સંતોમાંના એક છે. તેમના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રમણી હતું. તેમનું બાળપણનું નામ ગદાધર હતું. રામકૃષ્ણ પરમહંસના વિચારો પર તેમના માતાપિતાના વિચારોની ઊંડી અસર જોવા મળતી હતી.. તેમનાં માતા પિતા અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ અને ખૂબ જ સરળ સ્વભાવનાં હતાં. માતાપિતાની જેમ બાળક ગદાધર પણ ખૂબ જ ગુણવાન હતા. સાત વર્ષની નાની વયમાં જ તેમના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. એ પછી તેમનું મન અભ્યાસમાં લાગ્યું નહીં તેથી કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના પુરોહિત તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી. તેમનાં લગ્ન શારદામણી સાથે કરવામાં આવ્યાં હતાં. થોડા સમય બાદ એમના મોટાભાઈનું અકાળે અવસાન થયું. આથી અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી કાલીમાતાના મંદિરની પૂજા તેમજ અર્ચના કરવા લાગ્યા હતા અને આમ તેઓ કાલીમાતાના આરાધક બની ગયા. વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં કાલીમાતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. આધ્યાત્મિક સત્ય અને જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથપ્રદર્શક બન્યા હતા. કાલીમાતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા. તેમણે તમામ ધર્મોને એકસમાન કહ્યા છે. તેમણે ફક્ત પોતાના ધર્મનો જ નહીં પણ અન્ય ધર્મોનો પણ અભ્યાસ કર્યો હતો. તેના ફળસ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મોના પાયાના સિદ્ધાંતો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી. ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે. સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી પ્રેરિત હતા, તેથી જ વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા અને તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માટે બેલુર મઠ દ્વારા સંચાલિત રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થા સમગ્ર વિશ્વમાં લોકોના કલ્યાણ અને તેમના આધ્યાત્મિક વિકાસ માટે કામ કરે છે. સ્વામી વિવેકાનંદ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની પ્રેરણાથી દરિદ્ર નારાયણની સેવામાં લાગી ગયા હતા. રામકૃષ્ણ પરમહંસ તેમના જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા. તેને કારણે તેમનું શરીર દુર્બળ થતું ચાલ્યું. પછીથી તેમને કૅન્સર થતાં 1886માં 50 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. રામકૃષ્ણ પરમહંસ મહાન યોગી, ઉચ્ચકોટિના સાધક અને વિચારક હતા. સેવા માર્ગને જ ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો માનતા હતા. તેમના મનમાં હમેંશાં માનવજાતના કલ્યાણની જ ભાવના રહેલી હતી. એમના અવસાનના વર્ષો પછી પણ તેમણે જગાડેલી માનવતાની મશાલ આજે પણ તેમના અનુનાયીઓ દ્વારા વિશ્વમાં પ્રકાશ આપે છે.

18th February

Read more
રામકૃષ્ણ પરમહંસ જયંતી
18th February
અંગ્રેજોના શાસનની સાથે ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા અને વિદેશી ધર્મનું આક્રમણ શરૂ થયું હતું. આવી કટોકટીના સમય દરમિયાન 18 ફેબ્રુઆરી, 1836 ના રોજ બંગાળ પ્રાંતમાં આવેલા કામારપુકુર ગામમાં રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. રામકૃષ્ણ પરમહંસ ભારતના પ્રખ્યાત સંતોમાંના એક છે. તેમના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રમણી હતું. તેમનું બાળપણનું નામ ગદાધર હતું.
રામકૃષ્ણ પરમહંસના વિચારો પર તેમના માતાપિતાના વિચારોની ઊંડી અસર જોવા મળતી હતી.. તેમનાં માતા પિતા અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ અને ખૂબ જ સરળ સ્વભાવનાં હતાં. માતાપિતાની જેમ બાળક ગદાધર પણ ખૂબ જ ગુણવાન હતા. સાત...
Read more
છત્રપતિ શિવાજી મહારાજ જયંતી
છત્રપતિ શિવાજી મહારાજ જયંતી

છત્રપતિ શિવાજી મહારાજ એક ભારતીય યોદ્ધા, રાજા અને દેશના શૌર્યપુત્રોમાંના એક હતા જેમને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક પણ હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ હાલના મહારાષ્ટ્રના મરાઠા પરિવારમાં શિવનેરીના પહાડી કિલ્લામાં થયો હતો. તેમનાં માતાનું નામ જીજાબાઇ તથા પિતાનું નામ શાહજી ભોંસલે હતું. છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ઉજવણી 1870 માં પૂણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે પૂણેથી લગભગ 100 કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી. પાછળથી સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર તિલકે જયંતીની ઉજવણીની પરંપરા આગળ ધપાવી તેમણે બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને શિવાજી મહારાજ જયંતીના માધ્યમથી સ્વતંત્રતા આંદોલન દરમિયાન લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારથી દર વર્ષે તેમની જયંતી ઉજવવામાં આવે છે. શિવાજી તેમના લશ્કરી પરાક્રમ, રાજકીય કુનેહ અને તેમની લોકકલ્યાણ માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેઓ એવા ભારતીય શાસકોમાંના એક હતા, જેમણે મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની રક્ષા માટે નૌકાદળની કલ્પના રજૂ કરી હોવાનું કહેવાય છે. તેઓ પશ્ચિમ ભારતમાં સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપવા માટે મુઘલ સામ્રાજ્ય અને બીજાપુરના આદિલ શાહી વંશ સામે લડ્યા. શિવાજીની લશ્કરી ઝુંબેશ, ગેરિલા યુદ્ધની રણનીતિ અને વ્યૂહાત્મક આયોજન થકી તેઓએ મોટી સેનાઓ સામે પણ લડાઈમાં જીત મેળવી હતી. તેમણે પોતાની સેનાને સારી રીતે પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ દળમાં પુનઃસંગઠિત કરી, જેને મરાઠા સેના તરીકે ઓળખવામાં આવે છે. શિવાજી તેમના લોકોના કલ્યાણ માટે ખૂબજ પ્રતિબદ્ધ હતા તેથી તેમણે લોકોના જીવનને સુધારવા માટે ઘણાં પગલાં ભર્યા હતાં. તેમણે અન્યાયી કર નાબૂદ કર્યા અને ન્યાયિક વ્યવસ્થા યોગ્ય હોવાની ખાતરી કરી. તેમણે મરાઠી ભાષાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું. તેમજ મહારાષ્ટ્રની કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું. શિવાજી ધર્મનિષ્ઠ હિંદુ હતા. તેઓ મૂલ્યોના રક્ષણમાં માનતા હતા. તેઓ અન્ય ધર્મો માટે આદર ધરાવતા હતા. તેમના રાજ્યમાં તમામ સમાજના લોકો વચ્ચે સહિષ્ણુતા હતી, તેમજ તમામ ધર્મોને આદર આપવામાં આવતો હતો. તેમની સેનામાં પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના લોકો સામેલ હતા. શિવાજીનો વારસો ભારતીય રાષ્ટ્રીય ચેતનામાં ઊંડે સુધી વિસ્તરેલો હોવાથી તેમને રાષ્ટ્રીય નાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રવાદના હેતુ માટે તેમની હિંમત, નિશ્ચય અને પ્રતિબદ્ધતા માટે તેમને યાદ કરવામાં આવે છે. તેમનું જીવન અને કાર્ય અસંખ્ય ભારતીયોને સામાજિક ન્યાય, માનવ અધિકારો અને લોકતાંત્રિક મૂલ્યો માટે લડવાની પ્રેરણા આપતા રહે છે.

19th February

Read more
છત્રપતિ શિવાજી મહારાજ જયંતી
19th February
છત્રપતિ શિવાજી મહારાજ એક ભારતીય યોદ્ધા, રાજા અને દેશના શૌર્યપુત્રોમાંના એક હતા જેમને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક પણ હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ હાલના મહારાષ્ટ્રના મરાઠા પરિવારમાં શિવનેરીના પહાડી કિલ્લામાં થયો હતો. તેમનાં માતાનું નામ જીજાબાઇ તથા પિતાનું નામ શાહજી ભોંસલે હતું.
છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ઉજવણી 1870 માં પૂણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે પૂણેથી લગભગ 100 કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ...
Read more
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન

દર વર્ષે 21મી ફેબ્રુઆરી નો દિવસ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન' તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ 17 નવેમ્બર, 1999 ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવાનો અને માતૃભાષાને જાળવી રાખવાનો છે. માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત વગેરે માતૃભાષા દ્વારા વિકાસ પામે છે. બાળક જે કાંઈ સર્જન કરે છે, સમસ્યાનો ઉકેલ મેળવે છે, પોતાનાં કૌશલ્યો વિકસાવે છે તે બધું માતૃભાષા દ્વારા સહજ રીતે શક્ય બને છે. દરેક વ્યક્તિના જીવનમાં જ્ઞાનનો આરંભ માતૃભાષાથી થાય છે. વ્યવહારનું જ્ઞાન પણ દરેક વ્યક્તિ માતૃભાષામાં સહજતાથી મેળવે છે. મનના ભાવોને માતૃભાષામાં યોગ્ય રીતે વ્યક્ત કરી શકાય છે. વળી, સંકટના સમયે અથવા દુ:ખના સમયે મુખમાંથી માતૃભાષામાં જ સહજ ઉદગારો સરી પડે છે. વિચારોની મૌલિકતા અને સ્પષ્ટતા માતૃભાષામાં સરળતાથી મેળવી શકાય છે. સંશોધન દ્વારા એવું સિદ્ધ કરવામાં આવ્યું છે કે જો બાળકને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળે તો તેનો સર્વાંગી વિકાસ થઈ શકે છે, કારણકે માતૃભાષા એક શક્તિશાળી સાધન છે, જે બાળકની શીખવાની કુશળતાને આગળ વધારવામાં મદદ કરે છે. માતૃભાષામાં વાત કરવાથી બાળકોમાં પ્રત્યાયન કૌશલ્યનો વિકાસ પણ સરળતાથી થાય છે, જે તેમને વર્ગખંડમાં અન્ય બાળકો સાથેની સહભાગિતા વધારવામાં મદદ કરે છે. રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે, "માતૃભાષા તો માતાનું ધાવણ છે, જે રીતે બાળકને માતાનું દૂધ વધારે વિકસાવે છે. મજબૂત બનાવે છે તે જ રીતે માતૃભાષા સુપોષિત કરે છે. માતૃભાષા તો સંસ્કૃતિ, વ્યવહાર, ધર્મ, પ્રેમ, સંસ્કાર અને સ્નેહને સાંકળતી એક કડી છે." સંસ્કૃતિ અને ધર્મને ટકાવી રાખવા, સમજવા માતૃભાષા જરૂરી છે. માતૃભાષા ન આવડે તો વ્યક્તિ પોતાના સમાજ, ધર્મ, સંબંધો, સંસ્કૃતિ અને પરંપરાઓથી વિમુખ થતો જાય છે. તેથી માતૃભાષા દિવસની ઉજવણી દ્વારા લોકોને માતૃભાષાની અગત્ય સમજાવવામાં આવે છે. આજે કેટલીક ભાષાઓ લુપ્ત થઈ જતાં ભાષાકીય વિવિધતા વધુ જોખમમાં આવી ગઈ છે. યુએનના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે 40% વસ્તી તેઓ બોલે છે અથવા સમજે છે એ ભાષામાં શિક્ષણ મેળવતી નથી. તેથી જ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી દ્વારા લુપ્ત થતી માતૃભાષાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી માટે એક થીમ (વિષય) નક્કી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. વિશ્વના બધા દેશો આ દિવસે પોતાની માતૃભાષાનું ગૌરવગાન કરે છે અને તેના વિકાસ તેમજ સંવર્ધન માટેની વિવિધ પ્રવૃત્તિઓ યોજે છે અને તે દ્વારા માતૃભાષાનું મહત્વ જન-જન સુધી પહોંચે તેવા પ્રયત્નો કરે છે. ગુજરાત રાજ્યમાં પણ દર વર્ષે અલગ અલગ શહેરોમાં ગુજરાતી લેખકો, કવિઓ અને માતૃભાષાના સંવર્ધન માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો યોજી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

21st February

Read more
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન
21st February
દર વર્ષે 21મી ફેબ્રુઆરી નો દિવસ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન' તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ 17 નવેમ્બર, 1999 ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવાનો અને માતૃભાષાને જાળવી રાખવાનો છે.
માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત વગેરે માતૃભાષા દ્વારા વિકાસ પામે છે. બાળક જે કાંઈ સર્જન કરે છે, સમસ્યાનો ઉકેલ મેળવે છે,...
Read more
વિશ્વ સ્કાઉટ દિન
વિશ્વ સ્કાઉટ દિન

વિશ્વભરમાં દર વર્ષે લાખો સ્કાઉટ્સ અને ગાઈડ્ઝ દ્વારા રોબર્ટ બેડન-પોવેલના જન્મદિવસ 22 ફેબ્રુઆરીને 'વિશ્વ સ્કાઉટ દિન' ઉજવવામાં આવે છે. સ્કાઉટિંગની શરૂઆત 11 થી 18 વર્ષની વયના છોકરાઓ માટે એક કાર્યક્રમ તરીકે થઈ હતી. સૌ પ્રથમ 1907 માં રોબર્ટ બેડન-પોવેલ દ્વારા યુનાઈટેડ કિંગડમ ખાતે 20 છોકરાઓ સાથે આયોજિત પ્રથમ પ્રાયોગિક શિબિર ખૂબ જ સફળ રહી હતી. ત્યારબાદ 1908 માં બેડન પોવેલે "સ્કાઉટિંગ ફોર બોયઝ" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે ખૂબ પ્રચલિત થયું. અમેરિકાના બોય સ્કાઉટ્સનો ફ્લેગશિપ પ્રોગ્રામ, જે અગાઉ "બોય સ્કાઉટિંગ" તરીકે ઓળખાતો હતો, તે 1 ફેબ્રુઆરી, 2019 ના રોજ સ્કાઉટ્સ BSA (Boy Scouts Of America) તરીકે જાણીતો બન્યો.   ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ (BSG) વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ સ્કાઉટ મૂવમેન્ટ (WOSM) નામની વિશ્વ સ્કાઉટીંગ સંસ્થા સાથે જોડાયેલ છે. તેની સ્થાપના 4 સપ્ટેમ્બર, 1909 ના રોજ રોબર્ટ બ્રેડન-પોવેલ દ્વારા ભારતમાં લેક મસૂરી ખાતે કરવામાં આવી હતી . તે વિશ્વભરના વિવિધ દેશોમાં ફેલાયેલા કરોડો સભ્યો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. તેઓનો ઉદ્દેશ્ય વ્યક્તિઓને મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો જેવાં કે દેશભક્તિ, પ્રામાણિકતા, હિંમત, દયા વગેરેથી ભરપૂર જીવન જીવવામાં મદદ કરવાનો છે. તેઓ વિવિધ દેશોના સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ વચ્ચે આંતરરાષ્ટ્રીય વિનિમય કાર્યક્રમો માટે પણ પૂરતી તકો પૂરી પાડે છે.   સ્કાઉટિંગ એ વિશ્વવ્યાપી, સ્વૈચ્છિક અને બિનરાજકીય ચળવળ છે અને તેનું સૂત્ર માનવજાતની સેવા અને પ્રકૃતિના રક્ષણ માટે 'તૈયાર રહો' છે. સ્કાઉટિંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસને સક્ષમ કરે છે અને તેમને તમામ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાની તાલીમ આપે છે. આત્મવિશ્વાસ, આત્મસન્માન, મહત્વપૂર્ણ જીવનકૌશલ્યો, નેતૃત્વ કૌશલ્યો, ટીમનિર્માણ, આઉટડોર સાહસ, શિક્ષણ અને આનંદ વગેરે માટે સ્કાઉટિંગ ઉપયોગી છે. સ્કાઉટિંગ પ્રોગ્રામના મુખ્ય ઉદ્દેશ્યો ચારિત્ર્ય વિકાસ, નેતૃત્વ વિકાસ, નાગરિકતા તાલીમ અને સ્વસ્થતા છે.   સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ એ દરેક યુવાનને રંગ, મૂળ કે જાતિને ધ્યાનમાં લીધા વિના માનવતાની સેવા કરવાની તક પૂરી પાડે છે. આ દિવસે સ્કાઉટ સભ્યો સંસ્થાના આદર્શો જાળવવા માટે સંકલ્પ કરે છે તેમજ જનકલ્યાણ અર્થે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.   આમ સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ એસોસિએશનના સભ્યો આ દિવસને ઉત્સાહ સાથે ઉજવે છે. વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમની ભાગીદારીનો આનંદ માણે છે.

22nd February

Read more
વિશ્વ સ્કાઉટ દિન
22nd February
વિશ્વભરમાં દર વર્ષે લાખો સ્કાઉટ્સ અને ગાઈડ્ઝ દ્વારા રોબર્ટ બેડન-પોવેલના જન્મદિવસ 22 ફેબ્રુઆરીને 'વિશ્વ સ્કાઉટ દિન' ઉજવવામાં આવે છે. સ્કાઉટિંગની શરૂઆત 11 થી 18 વર્ષની વયના છોકરાઓ માટે એક કાર્યક્રમ તરીકે થઈ હતી. સૌ પ્રથમ 1907 માં રોબર્ટ બેડન-પોવેલ દ્વારા યુનાઈટેડ કિંગડમ ખાતે 20 છોકરાઓ સાથે આયોજિત પ્રથમ પ્રાયોગિક શિબિર ખૂબ જ સફળ રહી હતી. ત્યારબાદ 1908 માં બેડન પોવેલે "સ્કાઉટિંગ ફોર બોયઝ" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે ખૂબ પ્રચલિત થયું. અમેરિકાના બોય સ્કાઉટ્સનો ફ્લેગશિપ પ્રોગ્રામ, જે અગાઉ "બોય સ્કાઉટિંગ" તરીકે ઓળખાતો...
Read more
રવિશંકર મહારાજ જયંતી
રવિશંકર મહારાજ જયંતી

આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂકસેવક વગેરે ઉપનામોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કરનાર રવિશંકર મહારાજ એક અનોખા વ્યક્તિ હતા. રવિશંકર વ્યાસ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસુધારક હતા. તેમના સામાજિક કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. રવિશંકર મહારાજનો જન્મ 25 ફેબ્રુઆરી, 1884 (વિક્રમ સંવત 1940ની મહાશિવરાત્રી) ના રોજ ખેડા જિલ્લાના રહુ ગામમાં થયો હતો. તેમનું વતન મહેમદાવાદ નજીકનું સરસવણી ગામ હતું. પિતાને ખેતીમાં મદદ કરવા માટે તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો. તેમનાં લગ્ન સૂરજબા સાથે થયાં હતાં. યુવાન વયે જ તેમણે તેમનાં માતાપિતાને ગુમાવ્યાં હતાં. નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભૂદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું, બહારવટિયા, ખૂની, ચોર-ડાકુ અને દારૂડિયાઓને સુધારવાનું કામ કર્યું. સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી અને પટ્ટાવાળાથી માંડી આચાર્ય સુધીની જવાબદારી નિભાવી હતી. મકાન અને જમીન વેચીને તમામ સંપત્તિ રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું. પચ્ચીસ વર્ષ માત્ર એક ટંક ખાઈને એમણે લોકોની સેવા કરી. ચાલીસ વર્ષ પગમાં જોડા ન પહેર્યા અને માઈલોના માઇલ ચાલીને લોકોનાં કાર્યો કર્યા. મહારાજ એક સારા તરવૈયા હતા. તેમણે ધસમસતા ઘોડાપૂરમાં ઝંપલાવી લોકોને બચાવ્યા હતા. 1923 માં બોરસદ સત્યાગ્રહ હૈડિયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં અને અમદાવાદમાં કોમી હુલ્લડો સમયે તેમનું રચનાત્મકનું યોગદાન આપ્યું હતું. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજસુધારણાના કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા. 1955થી 1958 ના ત્રણ વર્ષ દરમ્યાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6,000 કિલોમીટર ચાલ્યા હતા. પોતાને માટે રૂપિયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપિયા અને કિંમતી જમીનોનાં દાન મેળવ્યાં હતાં અને તે કારણે જ ‘કરોડપતિ ભિખારી” જેવું ઉપનામ પણ તેમને મળ્યું. ત્યાગ, તપસ્યા અને દીનદુખિયાની સેવા દ્વારા ‘મહારાજ અને ‘દાદા’ના વહાલસોયા બિરુદી તેઓ ઓળખાયા. 90 વર્ષ સુધી તે ઋષિપુરુષ સેવારત રહ્યા. પગે ફેકચર થવાથી અને આંખોનું તેજ જવાથી શરશય્યા પર સૂઈ રહેવું પડ્યું. પરંતુ તેમણે પ્રસન્નતા ખોઈ નહીં. 1 જુલાઇ, 1984 ના દિવસે 100 વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું. ભારત સરકારે તેમના સન્માનમાં 1984 માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન કરનાર વ્યક્તિને સામાજિક કાર્ય માટે રૂપિયા 1 લાખનો ‘રવિશંકર મહારાજ પુરસ્કાર" ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાય છે. રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ “માણસાઈના દીવા' નામનું પુસ્તક લખ્યું છે. જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કર્યું છે. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેણે જીવી જાણું' (1984) નામની નવલકથા લખી છે.

25th February

Read more
રવિશંકર મહારાજ જયંતી
25th February
આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂકસેવક વગેરે ઉપનામોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કરનાર રવિશંકર મહારાજ એક અનોખા વ્યક્તિ હતા. રવિશંકર વ્યાસ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસુધારક હતા. તેમના સામાજિક કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.
રવિશંકર મહારાજનો જન્મ 25 ફેબ્રુઆરી, 1884 (વિક્રમ સંવત 1940ની મહાશિવરાત્રી) ના રોજ ખેડા જિલ્લાના રહુ ગામમાં થયો હતો. તેમનું વતન મહેમદાવાદ નજીકનું સરસવણી ગામ હતું. પિતાને ખેતીમાં...
Read more
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

દેશમાં વિજ્ઞાનની ઉપયોગિતા તથા તેના દ્વારા થતા ફાયદાઓ પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફ પ્રેરિત કરવા માટે 28 ફેબ્રુઆરી ને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામન દ્વારા 28 ફેબ્રુઆરી, 1928 ના રોજ પોતાની શોધ "રામન પ્રભાવ” (Raman Effect) ની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930 માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં આ દિવસ વિજ્ઞાન દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આપણા દેશના વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રામન ભારતમાં પ્રકાશના પરાવર્તન વિષય પર સંશોધન કાર્ય કરનાર વ્યક્તિઓમાંના એક હતા. તેમણે 1907 થી 1933 દરમિયાન ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કામ કર્યું. આ સમય દરમિયાન, તેમણે ઘણા વિષયો પર સંશોધન કાર્ય કર્યું. જેમાં 'રામન પ્રભાવ (Raman effect)' તેમની વિશેષ શોધ બની હતી. તેમના વિશેષ પ્રયાસને હંમેશાં માટે ભારતીય લોકોના હ્રદયમાં કાયમી સ્થાન આપવા 1986 માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટૅક્નોલોજી કમ્યૂનિકેશન દ્વારા 28 ફેબ્રુઆરી ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવણી કરવાની ભલામણ કરવામાં આવી. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી, 1987 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું છે. ભારતની ધરતી પર અનેક મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીધો છે અને આ મહાન વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્ન અને શોધોના કારણે જ ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણા રોજબરોજના ઉપયોગમાં લેવાતી કેટલીય ટૅક્નોલોજી કે વસ્તુઓ વિજ્ઞાનને જ આભારી છે. વિજ્ઞાનની મદદથી આપણે રોબોટ, કમ્પ્યૂટર જેવી વસ્તુઓને વિકસાવી છે. તેમજ ટૅક્નોલોજીની મદદથી આપણે અવકાશમાં ચંદ્ર તથા મંગળ સુધી પહોંચવામાં સફળ થયા છીએ. આજે આપણી શાળામાં કાળા પાટિયાના બદલે ડિજિટલ બોર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે જે વિજ્ઞાનને લીધે જ શક્ય બન્યું છે. વિજ્ઞાનની મદદથી કેટલીય જીવનરક્ષક ઔષધોની શોધ થઈ રહી છે જેને લીધે માનવજીવનમાં ઘણાં પરિવર્તન આવી રહ્યાં છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ, વૈજ્ઞાનિક વલણની કેળવણી અને દેશમાં નવી શોધો માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાનો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ વિજ્ઞાન દિન ની ઉજવણી પ્રતિ વર્ષ 10 નવેમ્બરે કરવામાં આવે છે. આ ઉજવણીમાં ‘શાંતિ અને વિકાસ માટે વિજ્ઞાન' ની વાત કેન્દ્રમાં છે. વિજ્ઞાનના માધ્યમથી માનવ જીવનને ઉન્ન્ત બનાવવાની દિશામાં આ દિને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ દિનની ઉજવણી વર્ષ 2002 થી શરૂ કરવામાં આવી છે.

28th February

Read more
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
28th February
દેશમાં વિજ્ઞાનની ઉપયોગિતા તથા તેના દ્વારા થતા ફાયદાઓ પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફ પ્રેરિત કરવા માટે 28 ફેબ્રુઆરી ને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામન દ્વારા 28 ફેબ્રુઆરી, 1928 ના રોજ પોતાની શોધ "રામન પ્રભાવ” (Raman Effect) ની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930 માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં આ દિવસ વિજ્ઞાન દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
આપણા દેશના વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રામન...
Read more