સાળંગપુરમાં હનુમાનજીને શ્રીનાથજી થીમ વાળા વાઘા પહેરાવાયા, શ્રાવણ માસમાં વિશેષ શણગાર અને સુંદરકાંડ પાઠનું આયોજન.
સાળંગપુરમાં હનુમાનજીને શ્રીનાથજી થીમ વાળા વાઘા પહેરાવાયા, શ્રાવણ માસમાં વિશેષ શણગાર અને સુંદરકાંડ પાઠનું આયોજન.
Published on: 29th July, 2025

સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસના મંગળવારે વિશેષ શણગાર કરાયો છે. હનુમાનજીને શ્રીનાથજીની Theme વાળા વાઘા પહેરાવાયા છે, સિંહાસનને હવેલીનો શણગાર કરાયો. મંગળા આરતી અને શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા થઈ. યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન થયું. દાદાને પહેરાવેલા શ્રીનાથજીની Theme વાળા વાઘા રાજકોટમાં એક ભક્તે તૈયાર કર્યા. સુંદરકાંડના પાઠ અને શ્રાવણ માસ દરમિયાન સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.