મોરબી મનપાને રાતે અંધારપટ દેખાતો નથી અને દિવસે અજવાળા પર નજર પડતી નથી
મોરબી મનપાને રાતે અંધારપટ દેખાતો નથી અને દિવસે અજવાળા પર નજર પડતી નથી
Published on: 23rd August, 2026

મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા પછી પણ સિસ્ટમમાં સુધારો ન થતાં પ્રજા પીડાઈ રહી છે. ઘણા વિસ્તારોમાં 24 કલાક સ્ટ્રીટલાઈટ ચાલુ રહે છે, જ્યારે અન્ય મહત્વપૂર્ણ વિસ્તારો અંધારપટ્ટમાં ડૂબી ગયા છે. કેટલાક વિસ્તારોમાં બિનજરૂરી રીતે દિવસ દરમિયાન પણ લાઈટો ચાલુ રહે છે, જેના કારણે કોના બાપની દિવાળી જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અણઘડ આયોજનના કારણે અડધી વસ્તી અજવાળામાં અને અડધી અંધારપટ્ટમાં રહેવા મજબૂર છે. સામાજિક કાર્યકરોએ કલેક્ટર, કમિશનર અને મેયરને રજૂઆત કરી છે અને જો પ્રશ્ન ન ઉકેલાય તો રાજીનામું આપવાની ચેલેન્જ આપી છે.