શ્રાવણ માસના બીજા શનિવારે નર્મદાના હનુમાન મંદિરોમાં ભક્તોનો મેળાવડો
શ્રાવણ માસના બીજા શનિવારે નર્મદાના હનુમાન મંદિરોમાં ભક્તોનો મેળાવડો
Published on: 23rd August, 2026

શ્રાવણ સુદ દશમના દિવસે, દેડિયાપાડા તાલુકાના વિવિધ હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ હનુમાનજીના દર્શન કરીને પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. રોકડીયા હનુમાન મંદિરે મહંત ગિરીશ મહારાજે પૂજા કરાવી, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. આંકડાના ફૂલ, મગ, તેલ, સિંદૂર, નાળિયેર અને ગોળ જેવી સામગ્રી અર્પણ કરાઈ. ખોખરા-ઉમરના ભીડભંજન હનુમાનજી મંદિરે પણ ભક્તોની હાજરી રહી. અંતરિયાળ વિસ્તારોમાં આવેલા હનુમાનજી મંદિરોમાં પણ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.