ધાર્મિક કાર્યોમાં અડચણો ઉભી ના કરી શકાય: હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
ધાર્મિક કાર્યોમાં અડચણો ઉભી ના કરી શકાય: હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Published on: 23rd August, 2026

પટણા હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે ધર્મ પાળવાની પ્રવૃત્તિઓમાં અડચણો ઉભી કરી શકાય નહીં. જોકે, આ છૂટ સંપૂર્ણ નથી અને જાહેર જનતાને નુકસાન ન થાય, તેમજ જાહેર વ્યવસ્થા અને સામાજિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. બિહારના સિવાનમાં ધાર્મિક કાર્યક્રમ માટે શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટાડવાના સ્થાનિક પ્રશાસનના નિર્ણય સામે થયેલી અપીલમાં હાઇકોર્ટે આ સ્પષ્ટતા કરી. બંધારણના આર્ટિકલ ૨૫માં મળેલા અધિકારોનો ભંગ થતો હોવાની દલીલ સામે સરકારે કાયદો વ્યવસ્થા જાળવવાના પગલાં ગણાવ્યા. કોર્ટે નોંધ્યું કે ધાર્મિક કાર્યોને બંધારણીય સંરક્ષણ છે, પરંતુ કાયદો વ્યવસ્થા જાળવીને જ તેનું પાલન શક્ય છે, ખાસ કરીને રહેણાકી વિસ્તારોમાં.