સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કપાયા.
સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કપાયા.
Published on: 04th August, 2025

**Surat**: વિશ્વ પર્યાવરણ દિવસ બાદ વૃક્ષારોપણ થઈ રહ્યું છે, પરંતુ સુરતમાં વડાપ્રધાનનું સૂત્ર ભુલાયું હોય તેમ 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. મ્યુનિ. કમિશનરને ફરિયાદ થતા તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે, કારણકે સુરત સહિત સમગ્ર ભારતમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તે જરૂરી છે.