ફરાળી ચીજવસ્તુ વિક્રેતાઓને ત્યાં SMC આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવાયા, રિપોર્ટ 14 દિવસમાં આવશે.
ફરાળી ચીજવસ્તુ વિક્રેતાઓને ત્યાં SMC આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવાયા, રિપોર્ટ 14 દિવસમાં આવશે.
Published on: 29th July, 2025

શ્રાવણ માસમાં ઉપવાસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે ફરાળી ચીજવસ્તુ વિક્રેતાઓ પર કાર્યવાહી કરી. શહેરના અલગ-અલગ ઝોનમાં ટીમો દ્વારા બટાકાની વેફર, કેળાની વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા સહિતની ખાદ્ય વસ્તુઓના નમૂના લેવાયા. પેકેજિંગ કરેલા ચેવડાના પેકેટના પણ સેમ્પલ લેવાયા. 14 દિવસમાં રિપોર્ટ આવી જશે અને ભેળસેળ જણાય તો કાર્યવાહી થશે: આરોગ્ય અધિકારી સમીપ દેસાઈ.