ભૂલથી પણ કાચી ન ખાતા આ શાકભાજી, પોષણ નહી ગંભીર નુકસાન થશે !
શાકભાજી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે, અને ઘણા લોકો શાકભાજીમાં રહેલા પોષક તત્વો મળે તે માટે તેને કાચા ખાવાનું પસંદ કરે છે. પરંતુ દરેક શાકભાજી કાચી ખાવી શરીર માટે સારી નથી.
ભૂલથી પણ કાચી ન ખાતા આ શાકભાજી, પોષણ નહી ગંભીર નુકસાન થશે !
અમરેલી ગીર પૂર્વમાં ગર્ભમાં બચ્ચાના મોત બાદ સિંહણનું પણ મૃત્યુ
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસિયા રેન્જ હેઠળના લુવારિયા કૃષ્ણગઢ વિસ્તારમાં એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. વનવિભાગના દાવા મુજબ, સિંહણ ગર્ભવતી હતી અને ગર્ભમાં બચ્ચાનું મોત થતાં તેનું પણ મૃત્યુ થયું. આ ઘટનાએ વનવિભાગની સિંહોની સુરક્ષા વ્યવસ્થા અને પેટ્રોલિંગની ગુણવત્તા પર ફરી પ્રશ્નો ઉઠાવ્યા છે. PCCF જયપાલસિંહે આ માહિતીની પુષ્ટિ કરી છે, પરંતુ મૃતદેહ બે દિવસથી વધુ સમયથી પડ્યો હોવાની ચર્ચાઓ વન વિભાગની કામગીરી પર શંકા ઊભી કરે છે.
અમરેલી ગીર પૂર્વમાં ગર્ભમાં બચ્ચાના મોત બાદ સિંહણનું પણ મૃત્યુ
મોરબી સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેનું અચાનક નિરીક્ષણ
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સવારે મોરબી સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક નિરીક્ષણ કર્યું. તેમણે હોસ્પિટલની વિવિધ સુવિધાઓ, ફાયર સેફ્ટી, વોર્ડ, દર્દીઓના રૂમ, શૌચાલયો, સ્વચ્છતા અને અપાતી સારવારની સમીક્ષા કરી. કલેક્ટરે દર્દીઓ સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ, સારવારની ગુણવત્તા અને સુવિધાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો. દર્દીઓના સૂચનો સાંભળ્યા. કલેક્ટરના આગમનથી હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી. આ નિરીક્ષણનો હેતુ સરકારી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને દર્દીકેન્દ્રિત બનાવવાનો છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેનું અચાનક નિરીક્ષણ
અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ
ગુજરાતના મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાં ઈન્દોર જળકાંડ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પીવાના દૂષિત પાણીના કારણે ગોતા અને થલતેજ વિસ્તારોમાં ૫૦૦ થી ૬૦૦ થી વધુ લોકો ઝાડા-ઉલટી જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ચાર દિવસથી સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવી રહી હતી, પરંતુ તંત્ર દ્વારા ફરિયાદને ગંભીરતાથી ન લેવાતાં સ્થિતિ વણસી હતી. કેટલાક લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડ્યા છે.
અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ
મુઝફ્ફરપુર પ્રસાદ હોસ્પિટલમાં ICUમાં ભીષણ આગ
બિહારના મુઝફ્ફરપુર સ્થિત પ્રસાદ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં 3 દર્દીઓના જીવતા ભૂંજાઈ જવાથી કરૂણ મોત થયા છે. આગ લાગતા જ હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટરો દર્દીઓને તડપતા છોડીને ભાગી છૂટ્યા હતા, જે અત્યંત શરમજનક છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાયું છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ પહોંચી 20થી વધુ દર્દીઓને બચાવ્યા, પરંતુ તેમની હાલત ગંભીર છે. જિલ્લાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
મુઝફ્ફરપુર પ્રસાદ હોસ્પિટલમાં ICUમાં ભીષણ આગ
વિશ્વ સાયકલ દિવસ: વલસાડમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે યુવાનો-વરિષ્ઠોની ભવ્ય સાયકલ રેલી
વલસાડ શહેરમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી નિમિત્તે ધારાસભ્ય ભરતભાઇ પટેલની ઉપસ્થિતિમાં "માય ભારત વલસાડ", "રેસર્સ ગ્રુપ વલસાડ" અને "અનસીન ભારત એક્સપ્લોરર" દ્વારા સંયુક્ત રીતે સાયકલ રેલીનું આયોજન કરાયું. આ રેલીમાં યુવાનો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. યુવા અધિકારી આયુષ ચૌધર પણ હાજર રહ્યા હતા. ધારાસભ્ય ભરતભાઇએ સાયકલના સ્વાસ્થ્ય અને પર્યાવરણ લાભો પર ભાર મૂક્યો, તેમજ નજીકના અંતર માટે સાયકલનો ઉપયોગ કરી પેટ્રોલ-ડીઝલ બચાવવા અનુરોધ કર્યો. રેલી પૂર્વે યુવાનોએ નશામુક્તિના શપથ લીધા, જે સામાજિક જાગૃતિનું પ્રતીક બન્યું.
વિશ્વ સાયકલ દિવસ: વલસાડમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે યુવાનો-વરિષ્ઠોની ભવ્ય સાયકલ રેલી
સર ટી. હોસ્પિટલમાં 700 ગ્રામની જટિલ થાઇરોઇડ ગાંઠની સફળ સર્જરી
ભાવનગર સર. ટી. હોસ્પિટલમાં મેડિકલ ક્ષેત્રે ફરી એકવાર જટિલ સર્જરી કરવામાં આવી છે. કાન, નાક અને ગળા વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે ઉત્તરપ્રદેશની એક આધેડ મહિલાના ગળામાંથી 700 ગ્રામની અત્યંત જટિલ અને જોખમી થાઇરોઇડ ગાંઠનું સફળ ઓપરેશન કર્યું છે. આશરે ત્રણ કલાક ચાલેલી આ સર્જરીમાં, 11 બાય 10 સેન્ટીમીટરની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી, જેનાથી દર્દીને નવજીવન મળ્યું છે. આ case માં થાઇરોઇડ ગાંઠની કોલોઈડ ગોઇટર ની ખામી હતી.
સર ટી. હોસ્પિટલમાં 700 ગ્રામની જટિલ થાઇરોઇડ ગાંઠની સફળ સર્જરી
મુઝફ્ફરનગર પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી મૃત્યુ પામ્યા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં વહેલી સવારે ભયંકર આગ લાગતાં મોટી દુર્ઘટના બની. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા છે, જેનાથી ICUમાં દાખલ દર્દીઓમાં ભય ફેલાયો. હાલ સુધી મળેલી માહિતી મુજબ, 3 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. ફાયર વિભાગ અને પોલીસ ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો અને દર્દીઓને બચાવવાનો પ્રયાસ કર્યો. બચાવેલા દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
મુઝફ્ફરનગર પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી મૃત્યુ પામ્યા
અબજો ડોલરનો મલ્ટિવિટામીન ઉદ્યોગ: સ્વાસ્થ્ય કે માત્ર વેપારનો ખેલ?
વૈશ્વિક મલ્ટિવિટામીન ઉદ્યોગ અબજો ડોલરનું વિશાળ સામ્રાજ્ય બની ગયો છે. કોરોના પછી સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ અંગેની જાગૃતિ વધતાં આ ઉદ્યોગમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. ઘણા લોકો ડૉક્ટરની સલાહ કરતાં સોશિયલ મીડિયા ટ્રેન્ડને વધુ મહત્ત્વ આપે છે. જોકે, સંતુલિત આહાર લેતા લોકો માટે મલ્ટિવિટામીન ખાસ રક્ષણ પૂરું પાડતા નથી. કૃત્રિમ વિટામિનના વધુ પડતા ડોઝ જોખમી પણ હોઈ શકે છે. નિષ્ણાતોની સલાહ વિના લેવાયેલા સપ્લિમેન્ટ્સ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
અબજો ડોલરનો મલ્ટિવિટામીન ઉદ્યોગ: સ્વાસ્થ્ય કે માત્ર વેપારનો ખેલ?
પાટણમાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપાયો
પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની આશંકા વચ્ચે પોલીસ અને ફૂડ વિભાગે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શંકાસ્પદ એનાલોગ પનીર અને માવાનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે તપાસ કરતા મામલાની કડી સરસ્વતી તાલુકાના જાખા ગામ સુધી પહોંચી હતી. રૂ.50 હજારથી વધુ કિંમતનો આ શંકાસ્પદ પનીર અને માવો કબજે કરી સ્થળ પર જ નષ્ટ કરાયો છે. સેમ્પલ લેબમાં મોકલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
પાટણમાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપાયો
5300 વર્ષ જૂની Otzi the Iceman મમીમાંથી મળ્યા જીવતા બેક્ટેરિયા, પ્રાચીન રહસ્યો ખુલશે
Otzi the Iceman, 5300 વર્ષ જૂની મમી, ઇટાલીના ઓત્ઝટલ આલ્પ્સ ગ્લેશિયરમાં મળી આવી હતી, જે વિશ્વની સૌથી જૂની અને શ્રેષ્ઠ સાચવેલ મમીઓમાંની એક છે. વૈજ્ઞાનિકોએ આ મમીના શરીરમાંથી બેક્ટેરિયા અને ઈસ્ટ જેવા સૂક્ષ્મજીવાણુઓ શોધી કાઢ્યા છે, જે હજારો વર્ષોથી તેની સાથે જ રહ્યા છે. આ આશ્ચર્યજનક શોધ પ્રાચીન માનવજાતિના જીવનશૈલી અને રહસ્યોને સમજવામાં મદદરૂપ થશે, તેમજ અત્યંત ઠંડી પરિસ્થિતિમાં પણ સૂક્ષ્મજીવાણુઓના અસ્તિત્વ વિશે નવી માહિતી પ્રદાન કરશે.
5300 વર્ષ જૂની Otzi the Iceman મમીમાંથી મળ્યા જીવતા બેક્ટેરિયા, પ્રાચીન રહસ્યો ખુલશે
પંજાબની યુવતીનો કમાલ: 53 વર્ષ જૂની પલ્સ ઓક્સિમીટરની ભૂલ સુધારી, રંગભેદનો ભેદભાવ દૂર
કેનેડામાં રહેતી પંજાબ મૂળની 17 વર્ષની વિદ્યાર્થિની ગુરનૂર કૌરે પલ્સ ઓક્સિમીટરમાં રહેલી 53 વર્ષ જૂની ભૂલ સુધારી છે. આ ઓક્સિમીટર ગોરા લોકોનું ઓક્સિજન લેવલ સાચું બતાવતું હતું, જ્યારે શ્યામ લોકોનું ખોટું. ગુરનૂરે તેના ગાણિતિક ફોર્મ્યુલામાં સુધારો કરીને 'ઇગેનપલ્સ' વિકસાવ્યું છે, જે કોઈપણ રંગભેદ વિના 100% સચોટ ઓક્સિજન માપશે. આ શોધ બદલ તેને કેનેડાના નેશનલ સાયન્સ ફેરમાં 'બેસ્ટ પ્રોજેક્ટ એવોર્ડ ફોર ઇનોવેશન' મળ્યો છે.
પંજાબની યુવતીનો કમાલ: 53 વર્ષ જૂની પલ્સ ઓક્સિમીટરની ભૂલ સુધારી, રંગભેદનો ભેદભાવ દૂર
મોડાસાના ખંભીસર ગામમાં હડકાયેલી બિલાડીનો આતંક
મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં હડકાયેલી બિલાડીએ ત્રણ ગ્રામજનો પર જીવલેણ હુમલો કર્યો, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. એક રખડતી બિલાડીએ અચાનક હિંસક બનીને ત્રણ વ્યક્તિઓને પોતાના તીક્ષ્ણ દાંત અને નખ વડે બચકાં ભર્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ બિલાડીને ભગાડી મૂકી હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી એન્ટી-રેબીઝ વેક્સિન સહિતની સારવાર શરૂ કરાઈ છે.
મોડાસાના ખંભીસર ગામમાં હડકાયેલી બિલાડીનો આતંક
ઉનાળાનું રાજવૃક્ષ ગરમાળો: અનેક રોગોમાં લાભદાયી
ગરમાળાનો ગોળ, હરડે અને કાળી દ્રાક્ષ કબજિયાત અને મસામાં ફાયદાકારક છે. તે સૌમ A પ્રકારના લોકો માટે ઉત્તમ વિરેચક ઔષધ છે. લોહીની ગરમી, હાથ-પગ અને આંખોની બળતરામાં પણ લાભ આપે છે. ચામડીના રોગો, ખસ અને વિસર્પમાં ગરમાળાના પત્રો અને નવાં પર્ણોને વાટીને લગાવવાથી ફાયદો થાય છે. મીઠાઈ ખાવાથી થતી કબજિયાત અને કૃમિ માટે ગરમાળાનો ગોળ, વાવડિંગ અને દિવેલનું મિશ્રણ અસરકારક છે. ગરમાળો મૃદુ વિરેચક હોવાથી તાવવાળી વ્યક્તિઓને પણ આપી શકાય છે.
ઉનાળાનું રાજવૃક્ષ ગરમાળો: અનેક રોગોમાં લાભદાયી
વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે
ગુજરાતની ગીરની ધરોહર એવા એશિયાઈ સિંહોના આરોગ્યને લઈને ચિંતા વધી છે. પર્યાવરણવિદોએ રાજ્ય સરકાર અને વન વિભાગ પાસે સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ પારદર્શક અહેવાલ તાત્કાલિક જાહેર કરવાની કડક માંગ કરી છે. પર્યાવરણવિદોએ જણાવ્યું કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ સીડીવી અને બેબેસિયા નામના રોગનો ખતરો હાલ એશિયાઈ સિંહો પર તોળાઈ રહ્યો છે. છેલ્લી સત્તાવાર વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ૮૯૧ સિંહો છે, પરંતુ આ પૈકી કેટલા સિંહો સંક્રમિત થયા છે, કેટલાના મૃત્યુ થયા છે અને કેટલા સંપૂર્ણ સ્વસ્થ છે તે અંગેની ચોક્કસ માહિતી જાહેર ન થતા લોકોમાં સંદેહ પ્રવર્તી રહ્યો છે.
વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે
અમરેલી ITIમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ
વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી ITI અમરેલી ખાતે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા કાર્યક્રમો યોજાયા. 'તમાકુને કહો ના, જિંદગીને કહો હા' વિષય પર નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. તમાકુના વ્યસનથી થતા નુકસાન અંગે અસરકારક રજૂઆતો કરી. માદલીયા સુહાની, વેગડા ડિમ્પલ અને ધંધુકિયા મીતે અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું. જાહેર આરોગ્ય કચેરી, અમરેલીના સહયોગથી વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરાયા. ફોરમેન ઇન્સ્ટ્રક્ટરે તમાકુજન્ય પદાર્થોના દૂષણો વિશે માહિતી આપી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેર્યા.
અમરેલી ITIમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ
વઢવાણ-કોઠારીયા રોડ પર ગંદા પાણીનો ભરાવો
વઢવાણથી કોઠારીયા રોડ પર બાપા સીતારામની મઢુલીથી CNG પેટ્રોલ પંપ તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણીના ભરાવાને કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. સીએનજી પેટ્રોલ પંપની સામે સતત વહી રહેલા દૂષિત પાણીને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી પડે છે. ગંદકી અને અસહ્ય દુર્ગંધથી લોકો પરેશાન છે. મચ્છરો અને અન્ય જીવજંતુઓનો ત્રાસ વધતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. વાહનો પસાર થતી વખતે ગંદુ પાણી ઉડવાના કારણે રોજ ઘર્ષણ થાય છે. આ દૂષિત પાણીના સ્ત્રોતની તપાસ અને ગટર લાઇન લીકેજ કે અન્ય કારણોની તટસ્થ તપાસ જરૂરી છે.
વઢવાણ-કોઠારીયા રોડ પર ગંદા પાણીનો ભરાવો
ઈબોલા વાઈરસ અંગે કેન્દ્ર સરકારની એડવાઈઝરી જાહેર
આફ્રિકાના કેટલાક ભાગોમાં ઈબોલા વાઈરસના નવા કેસો સામે આવ્યા બાદ ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક જાહેર આરોગ્ય માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં સ્પષ્ટતા કરાઈ છે કે દેશમાં હાલ કોઈ કેસ નથી. તકેદારીના ભાગરૂપે, છેલ્લા 21 દિવસમાં ઈબોલા પ્રભાવિત દેશોની મુસાફરી કરીને પરત ફરેલા લોકોએ લક્ષણો પર નજર રાખવી. તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઊલટી, ઝાડા, અથવા અચાનક રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક જાતને આઇસોલેટ કરી આરોગ્ય તંત્રને જાણ કરવી. હેલ્પલાઈન નંબર 1075 પર સંપર્ક કરી શકાય છે.
ઈબોલા વાઈરસ અંગે કેન્દ્ર સરકારની એડવાઈઝરી જાહેર
સોશિયલ મીડિયા કંપનીઓએ બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન બદલ ₹256 કરોડ ચૂકવી કેસ પતાવ્યો
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક અને યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ અમેરિકાના એક સ્કૂલ ડિસ્ટ્રિક્ટને 2.7 કરોડ ડોલર (આશરે 256 કરોડ રૂપિયા) ચૂકવીને એક મહત્વપૂર્ણ કેસ સેટલ કર્યો છે. આ કંપનીઓ પર આરોપ હતો કે તેમના પ્લેટફોર્મ બાળકો અને કિશોરોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે. આરોપો મુજબ, આ પ્લેટફોર્મ્સ વિદ્યાર્થીઓમાં તણાવ, ઊંઘની અછત અને ભાવનાત્મક પરેશાનીઓ જેવી સમસ્યાઓ વધારી રહ્યા હતા.
સોશિયલ મીડિયા કંપનીઓએ બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન બદલ ₹256 કરોડ ચૂકવી કેસ પતાવ્યો
સેનાના ગ્રેનેડિયરનું અકસ્માતમાં નિધન, 17 દિવસના બાળકને મળી મુખાગ્નિ; પત્ની બેભાન
રાજસ્થાનમાં ભારતીય સેનાના ગ્રેનેડિયર સુનીલ કુમારનું અકસ્માતમાં નિધન થયું. તેમના 17 દિવસના પુત્રનો જન્મ થયો હતો અને પરિવાર નામકરણ સંસ્કારની તૈયારીમાં હતો. પુત્રના જન્મ બાદ રજા પર ઘરે આવેલા સુનીલ કુમારનું અકસ્માતમાં અવસાન થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો. સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 17 દિવસના માસૂમ પુત્રએ પિતાને મુખાગ્નિ આપી. પતિનો પાર્થિવદેહ જોઈ પત્ની ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને બેભાન થઈ ગઈ.
સેનાના ગ્રેનેડિયરનું અકસ્માતમાં નિધન, 17 દિવસના બાળકને મળી મુખાગ્નિ; પત્ની બેભાન
ગીરના સાવજો: 36ના સેમ્પલ, 15ના રિપોર્ટ નેગેટીવ, 16ના બાકી
ગીરના સિંહોના મોત બાદ, 36 સિંહોના બેબેસીયા, સીડીવી, અને એનાપ્લાઝ્મા ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. આમાંથી 15 સિંહોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જ્યારે 16ના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. રોગચાળો અટકાવવા અને ઈતરડી નિયંત્રણ માટે વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવાયા છે, જેમાં દવાનો છંટકાવ, ઘાસ બાળવું અને ચૂનો નાખવાનો સમાવેશ થાય છે. સ્વસ્થ જણાતા સિંહોને ફરી તેમના કુદરતી આવાસમાં છોડવામાં આવ્યા છે.
ગીરના સાવજો: 36ના સેમ્પલ, 15ના રિપોર્ટ નેગેટીવ, 16ના બાકી
રશિયાનો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા માનવ અમરત્વનો અખતરો!
રશિયા માનવ અંગોને સમયાંતરે બદલીને યુવાની ટકાવી રાખવા અને આયુષ્ય વધારવાના 'ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેક્નોલોજી' હેઠળ સંશોધન કરી રહ્યું છે. ૨૦૨૪માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં પુતિનનું ૨ લાખ કરોડનું રોકાણ છે. ૨૦૩૦ સુધીમાં ૧.૭૫ લાખ લોકોના જીવન બચાવવાનું લક્ષ્ય છે. તાજેતરમાં બેઈજિંગમાં પુતિન, જિનપિંગ અને કિમ જોંગ ઉન વચ્ચે આ ટેક્નોલોજી પર ચર્ચા થઈ હતી, જેમાં જિનપિંગ અને કિમ જોંગ ઉને સમર્થન આપ્યું હતું.
રશિયાનો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા માનવ અમરત્વનો અખતરો!
વ્યારા જનરલમાં ઇબોલાના શંકાસ્પદ કેસ માટે ખાસ ICU વોર્ડ તૈયાર કરાયો
વડોદરામાં ઇબોલા વાયરસની શંકાસ્પદ ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. તાપી જિલ્લામાં હાલ એકપણ ઇબોલાનો કેસ નોંધાયો નથી, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે વ્યારા જનરલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓથી સજ્જ આઇસોલેશન અને ICU વોર્ડ તૈયાર કરાયો છે. આ ખાસ વોર્ડમાં 3 બેડ, 2 વેન્ટિલેટરની વ્યવસ્થા છે. દર્દીઓની સારવાર માટે ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ સહિત 10 સભ્યોની વિશેષ ટીમ તૈનાત કરાઈ છે. આરોગ્ય કર્મચારીઓ માટે PPE કિટ, માસ્ક, ગ્લોવ્ઝ, સેનેટાઇઝર સહિત સુરક્ષા સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.
વ્યારા જનરલમાં ઇબોલાના શંકાસ્પદ કેસ માટે ખાસ ICU વોર્ડ તૈયાર કરાયો
પરસેવો, નસકોરી, ગુલકંદ, પેશાબની બળતરા અને વાળ ખરવા અંગે નિષ્ણાત માર્ગદર્શન
વૈદ્ય પ્રેરક શાહે હાથ-પગમાં વધુ પડતા પરસેવા, ઉનાળામાં બાળકોમાં વારંવાર નસકોરી ફૂટવી, ગુલકંદના ફાયદા અને ઘરે બનાવવાની રીત, પેશાબમાં બળતરા અને વાળ ખરવા જેવી સામાન્ય આરોગ્ય સમસ્યાઓ પર આયુર્વેદિક દ્રષ્ટિકોણથી વિસ્તૃત માહિતી આપી છે. તેમણે આ સમસ્યાઓના મૂળ કારણો, આહાર અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો, અને અસરકારક ઘરેલું ઉપચારો સૂચવ્યા છે. શિરોધારા માનસિક શાંતિ માટે ઉત્તમ છે, પરંતુ વાળ ખરવા માટે તેની અસરકારકતા કારણો પર આધાર રાખે છે.
પરસેવો, નસકોરી, ગુલકંદ, પેશાબની બળતરા અને વાળ ખરવા અંગે નિષ્ણાત માર્ગદર્શન
PMS: સ્ત્રીના મન, શરીર અને લાગણીઓનો નિઃશબ્દ સંવાદ સમજવો જરૂરી
Premenstrual Syndrome (PMS) એ ફક્ત શારીરિક તકલીફ નથી, પરંતુ સ્ત્રીના મન, ભાવનાઓ અને આંતરિક સંઘર્ષ સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલો છે. માસિક આવવાના થોડા દિવસો પહેલાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસ્વસ્થતા અનુભવાય છે. આ લક્ષણોમાં થાક, દુખાવો, મૂડ સ્વિંગ, ચિંતા, ઉદાસીનતા વગેરે શામેલ હોઈ શકે છે. સમાજે સ્ત્રીઓને 'ઓવરરિએક્ટિંગ' કહેવાને બદલે તેમની સ્થિતિ સમજવી જોઈએ. PMS દરમિયાન સ્ત્રીઓને આરામ, ભાવનાત્મક સહારો અને સમજણની જરૂર હોય છે, જે દવા કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે.
PMS: સ્ત્રીના મન, શરીર અને લાગણીઓનો નિઃશબ્દ સંવાદ સમજવો જરૂરી
ગોધરા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી
પ્રતિદિન જાગૃતિના અભાવે યુવાનો વ્યસન તરફ્ ધકેલાઈ રહ્યા છે ત્યારે આવા નવયુવકોને સાચો માર્ગ બતાવવા ગાયત્રી પરિવાર દ્વારા ગોધરા શહેરના ભૂરાવાવ સ્થિત હંગામી બસ સ્ટેન્ડ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ હતી. જે દરમિયાન ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા મુસાફ્રોને પુસ્તિકા વિતરણ કરાઈ હતી. સૂત્રોચાર સાથે બસ સ્ટેન્ડમાં રેલી કાઢી લોકોને તમાકુ- ગુટખા ન ખાવા માટે જાગૃત કરાયા હતા, કાર્યક્રમમાં પરિજનો, કોમર્સ કોલેજના પ્રોફેસર, વિવિધ ડોક્ટર્સ સહિત લોકો જોડાયા હતા.
ગોધરા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી
સંજેલી ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિને જાગૃતિ રેલી યોજાઈ
દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી તાલુકા હેલ્થ ઓફ્સિરના માર્ગદર્શન હેઠળ તા.31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગ રૂપે સંજેલીની રેફરલ હોસ્પિટલ એન્ડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેલી યોજાઈ હતી. જેનું પ્રસ્થાન ડૉ.નિરવ પટેલ ડેન્ટલ સર્જન, તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝરે કરાવ્યું હતું. રેલીમાં તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ, આશાવર્કરો, સી.એચ.ઓ હાજર રહ્યા હતાં. રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
સંજેલી ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિને જાગૃતિ રેલી યોજાઈ
લુણાવાડા ખાતે બાવન પાટીદાર સમાજ દ્વારા રક્તદાન કેમ્પ
મલેકપુર ખાતે ડૉ.આર.બી. પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસ સંસ્થા બાવન પાટીદાર સમાજ અને મહીસાગર રેડફોર્સ સોસાયટી દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો. અકસ્માત, ઓપરેશન કે થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે લોહીની જરૂરિયાત વચ્ચે, લુણાવાડા અને આસપાસના વિસ્તારોમાંથી 250 થી વધુ દાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. આ એકત્રિત થયેલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ શિબિરમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લુણાવાડા ખાતે બાવન પાટીદાર સમાજ દ્વારા રક્તદાન કેમ્પ
મચ્છરોનો ત્રાસ ઘટાડવા ગૂગલ ૩.૨ કરોડ મચ્છરોને કરશે મુક્ત
ગૂગલ મચ્છરોના ત્રાસમાંથી દુનિયાને મુક્ત કરાવવા માટે એક અનોખી યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજનામાં "લોઢું લોઢાને કાપે" તેવી પદ્ધતિ અપનાવાશે. લેબોરેટરીમાં ખાસ જીવાણુઓથી સંક્રમિત કરાયેલા મચ્છરોને મુક્ત કરવામાં આવશે. આ મચ્છરો વાતાવરણમાં રહેલા અન્ય મચ્છરો સાથે સંપર્કમાં આવીને તેમની પ્રજાતિનો નાશ કરશે. આ પદ્ધતિ પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર નહીં કરે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
મચ્છરોનો ત્રાસ ઘટાડવા ગૂગલ ૩.૨ કરોડ મચ્છરોને કરશે મુક્ત
પેન્ક્રિયાઝ કેન્સર સામે નવી દવા
પેન્ક્રિયાઝ કેન્સર સામે લડતમાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. એક નવી પ્રાયોગિક ગોળી, Ghicertinib, એડવાન્સ સ્ટેજના દર્દીઓનું આયુષ્ય લગભગ બમણું કરી શકે છે. પ્રતિષ્ઠિત ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ૫૦૦ દર્દીઓનો સમાવેશ કરાયો હતો. આ દવા કેન્સર ફરી ફેલાવવાના સમયમાં પણ વધારો નોંધાઈ શકે છે, જે આશાસ્પદ પરિણામો દર્શાવે છે.
પેન્ક્રિયાઝ કેન્સર સામે નવી દવા
પ્લેસિબો ઇફેક્ટ: મન અને શરીરની અદભૂત જોડાણની ગાથા
પ્લેસિબો ઇફેક્ટ (Placebo Effect) એક મનોવૈજ્ઞાનિક અને શારીરિક ઘટના છે, જ્યાં કોઈ સક્રિય તત્વ વિનાની દવા કે સારવાર પણ સુધારાનો અનુભવ કરાવી શકે છે. આ અસર મુખ્યત્વે વ્યક્તિના વિશ્વાસ અને અપેક્ષા પર નિર્ભર છે. જ્યારે દર્દીને લાગે કે દવા તેને સાજી કરશે, ત્યારે મગજ એન્ડોર્ફિન જેવા કુદરતી રસાયણો મુક્ત કરે છે. તબીબી સંશોધનમાં 'પ્લેસિબો કંટ્રોલ ટ્રાયલ' મહત્વપૂર્ણ છે. ગંભીર બીમારીઓ માટે નહીં, પરંતુ દુઃખાવા, ડિપ્રેશન અને તણાવ જેવા લક્ષણોમાં આ ઇફેક્ટ અસરકારક છે.