મુઝફ્ફરપુર પ્રસાદ હોસ્પિટલમાં ICUમાં ભીષણ આગ
મુઝફ્ફરપુર પ્રસાદ હોસ્પિટલમાં ICUમાં ભીષણ આગ
Published on: 04th June, 2026

બિહારના મુઝફ્ફરપુર સ્થિત પ્રસાદ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં 3 દર્દીઓના જીવતા ભૂંજાઈ જવાથી કરૂણ મોત થયા છે. આગ લાગતા જ હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટરો દર્દીઓને તડપતા છોડીને ભાગી છૂટ્યા હતા, જે અત્યંત શરમજનક છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાયું છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ પહોંચી 20થી વધુ દર્દીઓને બચાવ્યા, પરંતુ તેમની હાલત ગંભીર છે. જિલ્લાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.