લુણાવાડા ખાતે બાવન પાટીદાર સમાજ દ્વારા રક્તદાન કેમ્પ
લુણાવાડા ખાતે બાવન પાટીદાર સમાજ દ્વારા રક્તદાન કેમ્પ
Published on: 02nd June, 2026

મલેકપુર ખાતે ડૉ.આર.બી. પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસ સંસ્થા બાવન પાટીદાર સમાજ અને મહીસાગર રેડફોર્સ સોસાયટી દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો. અકસ્માત, ઓપરેશન કે થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે લોહીની જરૂરિયાત વચ્ચે, લુણાવાડા અને આસપાસના વિસ્તારોમાંથી 250 થી વધુ દાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. આ એકત્રિત થયેલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ શિબિરમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.