વસ્ત્રાલમાં ભુવો પડતા આઈશર પલટી, ન્યૂ આરટીઓ રોડ પર કાદવ-કીચડથી વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી.
વસ્ત્રાલમાં ભુવો પડતા આઈશર પલટી, ન્યૂ આરટીઓ રોડ પર કાદવ-કીચડથી વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી.
Published on: 29th July, 2025

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ન્યૂ આરટીઓ રોડ પર ભુવો પડતા આઈશર પલટી ગઈ. સદનસીબે ડ્રાઈવરનો બચાવ થયો. નિકોલમાં લાઈન નાખવાની કામગીરી બાદ રોડ બેસી ગયો. દ્વારકેશ ફાર્મ રોડ એક વર્ષથી બિસ્માર હાલતમાં છે, કાદવ-કીચડથી લોકો પરેશાન છે. મહાનગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને સ્થાનિકો દ્વારા રોડને સરખો કરવાની માંગણી કરવામાં આવી રહી છે.